રાજયમાં એન્જિનિયરિંગ સહિત પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થવાને આરે, કોલેજોને બચાવવા માટે સરકાર સફાળી જાગી, જુઓ VIDEO

|

Jul 08, 2019 | 3:26 AM

રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેક્નિકલ કોર્ષની સ્થિતિ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, એમબીએ-એમસીએ, ડિપ્લોમા, ફાર્મસી સહિતના પ્રોફેશનલ કોર્ષની અનેક કોલેજ બંધ થવાના આરે છે. ચાલુ વર્ષે એન્જિનિયરિંગમાં પ્રથમ રાઉન્ડ બાદ 37 કોલેજોની 10 ટકાથી ઓછી સીટો ભરાઈ છે. તેમજ પ્રોફેશનલ કોર્ષની 50થી વધુ કોલેજો સીટો ન ભરાવાથી બંધ થવાની છે. ત્યારે આવી કોલેજોને બચાવવા સરકાર સફાળી […]

રાજયમાં એન્જિનિયરિંગ સહિત પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થવાને આરે, કોલેજોને બચાવવા માટે સરકાર સફાળી જાગી, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેક્નિકલ કોર્ષની સ્થિતિ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, એમબીએ-એમસીએ, ડિપ્લોમા, ફાર્મસી સહિતના પ્રોફેશનલ કોર્ષની અનેક કોલેજ બંધ થવાના આરે છે. ચાલુ વર્ષે એન્જિનિયરિંગમાં પ્રથમ રાઉન્ડ બાદ 37 કોલેજોની 10 ટકાથી ઓછી સીટો ભરાઈ છે.

તેમજ પ્રોફેશનલ કોર્ષની 50થી વધુ કોલેજો સીટો ન ભરાવાથી બંધ થવાની છે. ત્યારે આવી કોલેજોને બચાવવા સરકાર સફાળી જાગી છે અને બંધ થયેલી કોલેજોનો વૈકલ્પિક ઉપયોગ કરી નવા કોર્ષ શરૂ કરવા સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટી કોલેજના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી નવા કોર્ષ શરૂ કરવા અંગે સરકારને રિપોર્ટ સુપરત કરશે. સરકારના આ નિર્ણયને સેલ્ફ ફાઈનાન્સ કોલેજો પણ આવકારી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રોફેશનલ કોર્ષની બંધ થવાના આરે પડેલી કોલેજો પાસે પૂરતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી તેમજ અન્યસાધન સામગ્રી પણ છે. ત્યારે આ સાધન સામગ્રીનો વૈકલ્પિક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે કમિટી રિપોર્ટ તૈયાર કરશે. તેમાં UGC, AICTEના નિયમ પ્રમાણે સાયન્સ કોલેજ, સ્કીલ એજ્યુકેશન અને વોકેશનલ કોર્ષ સહિતના નવા અભ્યાસક્રમ શરૂ કરવા સરકારને ભલામણ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ અંગે કોંગ્રેસે જણાવ્યુ કે સરકાર ખાનગી કોલેજોના સંચાલકોને બદલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે તે જરૂરી છે અને કોલેજો શા માટે બંધ થઈ રહી છે. તેના મૂળ સુધી પહોંચવા શિક્ષણનીતિમાં બદલાવ લાવે તે અગત્યનું છે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: યમુના એક્સપ્રેસ વે પર દિલ્હી જઈ રહેલી બસ નાળામાં પડી, 29 લોકોના મોત 22થી વધુ લોકો ઘાયલ

Next Article