રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેક્નિકલ કોર્ષની સ્થિતિ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, એમબીએ-એમસીએ, ડિપ્લોમા, ફાર્મસી સહિતના પ્રોફેશનલ કોર્ષની અનેક કોલેજ બંધ થવાના આરે છે. ચાલુ વર્ષે એન્જિનિયરિંગમાં પ્રથમ રાઉન્ડ બાદ 37 કોલેજોની 10 ટકાથી ઓછી સીટો ભરાઈ છે.
તેમજ પ્રોફેશનલ કોર્ષની 50થી વધુ કોલેજો સીટો ન ભરાવાથી બંધ થવાની છે. ત્યારે આવી કોલેજોને બચાવવા સરકાર સફાળી જાગી છે અને બંધ થયેલી કોલેજોનો વૈકલ્પિક ઉપયોગ કરી નવા કોર્ષ શરૂ કરવા સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટી કોલેજના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી નવા કોર્ષ શરૂ કરવા અંગે સરકારને રિપોર્ટ સુપરત કરશે. સરકારના આ નિર્ણયને સેલ્ફ ફાઈનાન્સ કોલેજો પણ આવકારી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પ્રોફેશનલ કોર્ષની બંધ થવાના આરે પડેલી કોલેજો પાસે પૂરતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી તેમજ અન્યસાધન સામગ્રી પણ છે. ત્યારે આ સાધન સામગ્રીનો વૈકલ્પિક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે કમિટી રિપોર્ટ તૈયાર કરશે. તેમાં UGC, AICTEના નિયમ પ્રમાણે સાયન્સ કોલેજ, સ્કીલ એજ્યુકેશન અને વોકેશનલ કોર્ષ સહિતના નવા અભ્યાસક્રમ શરૂ કરવા સરકારને ભલામણ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ અંગે કોંગ્રેસે જણાવ્યુ કે સરકાર ખાનગી કોલેજોના સંચાલકોને બદલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે તે જરૂરી છે અને કોલેજો શા માટે બંધ થઈ રહી છે. તેના મૂળ સુધી પહોંચવા શિક્ષણનીતિમાં બદલાવ લાવે તે અગત્યનું છે.
[yop_poll id=”1″]
આ પણ વાંચો: યમુના એક્સપ્રેસ વે પર દિલ્હી જઈ રહેલી બસ નાળામાં પડી, 29 લોકોના મોત 22થી વધુ લોકો ઘાયલ