હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં પણ પેટાચૂંટણીની યોજાશે. ગુજરાતમાં કુલ 7 પૈકી 4 બેઠક પર ચૂંટણી જાહેર કરાઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુનિલ અરોડાએ આજે જાહેરાત કરી છે. જેમાં અન્ય રાજ્યના વિધાનસભાની સાથે ગુજરાતમાં પણ 21 ઓક્ટોબરના દિવસે પેટા ચૂંટણી યોજાશે. જાહેરાતની સાથે 4 બેઠકો પર આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી બ્યુગલ, ચૂંટણીની તારીખો થઈ જાહેર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કઈ 4 બેઠક પર પેટાચૂંટણી
ગુજરાતની 7 પૈકી 4 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં અમરાઈવાડી, લુણાવાડા, ખેરાલુ અને થરાદ વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ છે. 24 ઓક્ટોબરે મતદાન ગણતરી થશે. જો કે આ ચાર બેઠક પર આજથી જ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉમેદવારી નોંધાવવાની તારીખ
27 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાનું નોટિફિકેશન જાહેર થશે. તો 4 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર રહેશે.
Published On - 7:46 am, Sat, 21 September 19