વચનેષુ કિમ દરિદ્રતા ! દારૂબંધી દુર કરવાનાં નામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી પોતાની રાજનીતિ ચમકાવવા તરફ, કહ્યું કે પક્ષની સરકાર આવશે તો દારુબંધી હટાવવા ઉપરાંત મફતમાં વીજળી અને પાણી જેવા પાંચ વચનો પુરા કરાશે
દારૂબંધીને સહારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી પોતાની રાજનીતિ ચમકાવવા માગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાની તૈયારી છે તે પહેલા શંકરસિંહ બાપુએ ફરીથી દારુબંધી દૂર કરવાનો રાગ આલાપ્યો છે. પહેલા કોંગ્રેસ અને બાદમાં NCPમાંથી છેડો ફાડ્યા બાદ પ્રજા શક્તિ મોરચાની સ્થાપના કરી રાજનીતિમાં સક્રિય થવા માંગતા બાપુએ ગુજરાતની જનતાનો સહકાર માંગતા વચનોનું પંચામૃત આપ્યું […]
દારૂબંધીને સહારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી પોતાની રાજનીતિ ચમકાવવા માગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાની તૈયારી છે તે પહેલા શંકરસિંહ બાપુએ ફરીથી દારુબંધી દૂર કરવાનો રાગ આલાપ્યો છે. પહેલા કોંગ્રેસ અને બાદમાં NCPમાંથી છેડો ફાડ્યા બાદ પ્રજા શક્તિ મોરચાની સ્થાપના કરી રાજનીતિમાં સક્રિય થવા માંગતા બાપુએ ગુજરાતની જનતાનો સહકાર માંગતા વચનોનું પંચામૃત આપ્યું છે. બાપુએ દાવો કર્યો છે કે જો તેમના પક્ષની સરકાર આવશે તો દારુબંધી હટાવવા ઉપરાંત મફતમાં વીજળી અને પાણી જેવા પાંચ વચનો પુરા કરાશે. બાપુએ રાજ્યમાં હાલની દારૂબંધીને નાટક ગણાવી દાવો કર્યો છે કે જો આ દારૂબંધી દૂર કરવામાં આવે તો રાજ્યનો વધુ વિકાસ થશે. દારૂબંધીએ રાજ્યનો વિકાસ રૂંધી રાખ્યો છે અને દારૂબંધી હટતા જ વિકાસ વધુ વેગવાન બનશે તેવો દાવો કર્યો છે.. ચૂંટણી પહેલા જ બાપુએ જે રીતે જનતાને લાલચની લોલીપોપ આપી છે ત્યારે સવાલ એ થાય છે કે શું બાપુ ફરી સક્રિય રાજકારણમાં આવવા માંગે છે કે પછી દારૂબંધી જેવો વિવાદીત મુદ્દો ઉછાળી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો