અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર તાત્કાલિક ધોરણે ખોલવા ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે. છેલ્લા 7 મહિનાથી શાહિબાગ સ્થિત કેમ્પનું હનુમાન મંદિર બંધ છે. ચેરિટી કમિશનરે કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મંદિર ખોલવાની માગ ચલાવી છે. મંદિરના ટ્રસ્ટીઓ અને સેનાના અધિકારીઓની સંમતિથી મંદિર કઈ શરતોને આધારે ખોલવામાં આવે તે અંગે તાત્કાલિક નિર્ણય લેવાની માગ ચેરિટી કમિશનરે કરી છે. કેમ્પ હનુમાન મંદિર ખોલવાને લઈને ટ્રસ્ટી પાર્થિવ શાહે કહ્યું છે કે, રાષ્ટ્રહિત અને સૈનિકોના હિતમાં મંદિર ખોલવાનો નિર્ણય કરાશે. તો મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું કે ચેરિટી કમિશનરના આદેશને લઈને બેઠકમાં ચર્ચા કરાશે અને 25 તારીખ પહેલા નિરાકરણ લાવવાની પણ વાત કરી. બે મહિના પહેલાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા માટે દર્શનાર્થીઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. હનુમાન મંદિરને ખોલવામાં આવે તેવી ભક્તોની માગ હતી.
આ પણ વાંચો: સુરત: અંગત અદાવતમાં ખેલાયો લોહિયાળ જંગ, જુઓ CCTVમાં કેદ થયેલા હત્યાના દ્રશ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો