આણંદ: જાણો બિનવારસી શ્વાનના બચ્ચાને દત્તક આપવાના કાર્યક્રમમાં શું થયું?

|

Dec 29, 2019 | 11:01 AM

આણંદના વિદ્યાનગરમાં આજે રોડ રસ્તા પરથી મળી આવેલા બિનવારસી શ્વાનના બચ્ચા (ગલુડિયા)ને દત્તક આપવાનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં 20 ગલુડિયાઓને આણંદ વિદ્યાનગરના નાગરિકો દ્વારા દત્તક લેવામાં આવ્યા. વિદ્યાનગરમાં અબોલા રખડતા બિમાર અને અશક્ત પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર અને સેવા કરતી રેસકયુ એન્‍ડ રિહેબિલિટેશન ઓફ સ્‍ટ્રે એનીમલ્‍સ (RRSA) સંસ્થામાં છેલ્લા 1 વર્ષમાં 25 જેટલા ગલુડિયાની સંભાળ […]

આણંદ: જાણો બિનવારસી શ્વાનના બચ્ચાને દત્તક આપવાના કાર્યક્રમમાં શું થયું?

Follow us on

આણંદના વિદ્યાનગરમાં આજે રોડ રસ્તા પરથી મળી આવેલા બિનવારસી શ્વાનના બચ્ચા (ગલુડિયા)ને દત્તક આપવાનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં 20 ગલુડિયાઓને આણંદ વિદ્યાનગરના નાગરિકો દ્વારા દત્તક લેવામાં આવ્યા. વિદ્યાનગરમાં અબોલા રખડતા બિમાર અને અશક્ત પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર અને સેવા કરતી રેસકયુ એન્‍ડ રિહેબિલિટેશન ઓફ સ્‍ટ્રે એનીમલ્‍સ (RRSA) સંસ્થામાં છેલ્લા 1 વર્ષમાં 25 જેટલા ગલુડિયાની સંભાળ રાખવામાં આવતી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ તમામ ગલુડિયા જિલ્લાના જુદા જુદા માર્ગો પરથી મળી આવ્યા હતા, કેટલાક ગલુડિયાની માતાનું માર્ગ અકસ્માતમાં મોત થવાથી નાગરિકો દ્વારા આવા ગલુડિયાને વિદ્યાનગરની સંસ્થામાં સારવાર અર્થે મોકલી આપવામાં આવતા હતા. જેથી સંસ્થાના સંચાલકોએ આ તમામ ગલુડિયાની એક કાર્યવાહી કરી તેમને દત્તક આપવાનો કાર્યક્રમ આજે વિદ્યાનગરમાં રાખ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગલુડિયાને દત્તક લેવામાં રૂચી બતાવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સંચાલક ભાવેશ સોલંકીએ જણાવ્યું કે આજે એક ડ્રાઈવ રાખી છે, અમારા પોતાના નિયમ છે. કોઈને પપી દત્તક લેવા હોય તો અમે દરેક વસ્તુની ચકાસણી કરીએ છે અને ત્યારબાદ દત્તક આપીયે છીએ. અમારા સ્વયં સેવકો ગાઈડ કરે છે. વેક્સીનેશન અને ફૂડની જાણકારી આપતા હોય છે અને દતક લેનાર પાસેથી માહિતી લેતા રહીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સંસ્‍થામાં હાલ આશરો લઈ રહેલા ગલૂડિયાંને રહેવા માટે સારૂં ઘર મળે અને કોઈ પ્રાણી અને જીવદયા પ્રેમી આવા માતા વિહોણાને દત્તક લે, તે શુભાશયથી આજે વલ્‍લભવિદ્યાનગરના યુનિવર્સિટી સર્કલ પાસે આવેલા રાધાસ્‍મૃતિ કોમ્‍પલેક્ષ ખાતે એડોપ્‍સન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ગલુડિયા દત્તક લેવામાં રસ દાખવ્યો હતો, આજે કેટલાક એવા પણ લોકો હતા જે ગલુડિયાને દતક લઈ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રાણી અને જીવદયા પ્રેમી આજકાલ વિદેશી બ્રીડનો મોહ રાખી રહ્યા છે, તેટલુ જ નહીં વિદેશી બ્રીડ માટે મોં માગી રકમ ચૂકવીને પણ આવી બ્રીડની ખરીદી કરતા હોય છે. જયારે આપણા ભારતીય બ્રીડના ગલૂડિયાંઓને ઘર આપવું કઠિન થઈ પડયું છે. ત્‍યારે આપણી આ મૂળ ભારતીય બ્રીડ આપણને પ્રેમ આપવામાં અને આપણી સુરક્ષા કરવામાં એટલી જ અગ્રેસર છે, જેટલી વિદેશી બ્રીડ છે તો આપણે આ ભારતીય બ્રીડ પ્રતિ જાગૃત થવાની સાથે આવા ગલૂડિયાંને નવી જિંદગી પૂરી પાડવાની સાથે છત્ર મળી રહે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article