અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ખોલવામાં ન આવતા ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપી દીધુ છે. છેલ્લા કેટલાક વર્ષથી વારંવાર સર્જાતા વિવાદોથી કંટાળીને નાણાવટીએ રાજીનામું ધરી દીધુ છે. કેમ્પ હનુમાન મંદિર 22 માર્ચ પછી ખોલવામાં ન આવતા સર્જાયેલા વિવાદથી ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું છે. 12 સંસ્થાઓએ ગઈકાલે ચેરિટી કમિશનરને મંદિર ખોલવા લેખિત રજૂઆત કરી છે. દરમિયાન કેમ્પ હનુમાન ટ્રસ્ટી પાર્થિવ અધ્વર્યુએ કહ્યું, મંદિર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હોવાથી આર્મી મંજૂરી આપતું નથી. વધુમાં મંદિર પાછળ કોવિડ કેર સેન્ટર છે. આ સંજોગોમાં ભક્તોના ધસારાથી કોરોનાનો ચેપ વધી શકે છે. કાળી ચૌદશે હવન માટે આર્મીની મંજૂરી માગી છે પણ ભક્તોને પ્રવેશ નહીં અપાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો