અમદાવાદમાં કોરોનાએ લીધેલા ભરડાને કારણે ભક્તો શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કેમ્પ હનુમાનના દર્શન કરી શકતા નથી. શ્રદ્ધાળુઓ આઠ મહિનાથી હનુમાનજીના દર્શનથી વંચિત છે. ત્યારે બીજી તરફ વર્ષો જૂના કેમ્પ હનુમાનજી મંદિરને એ જ વિસ્તારના રિવરફ્રન્ટ ફેઝ-2માં ખસેડવાની કવાયત શરૂ થઈ છે. આ મુદ્દે કેન્ટોન્મેન્ટ ઓથોરિટી અને મંદિરના ટ્રસ્ટી મંડળ વચ્ચે વાટાઘાટો બાદ ઠરાવ થયો છે. જો આયોજન મુજબ બધું થાય તો મંદિરને નવી વિશાળ જગ્યા મળી રહે અને કેન્ટોન્મેન્ટમાંથી લોકોની અવર-જવરનો પ્રશ્નો પણ હલ થઈ જાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો