આખરે 30 વર્ષે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માનતા પુરી,હવે ખાઈ શકશે મિઠાઈ,જાણો શું હતી એ ત્રણ દાયકા જુની ટેક
ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રામમંદિરના ભૂમિપૂજનને લઈ ખાસ ઉત્સાહિત છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ભુપેન્દ્ર સિંહે રામમંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી જે છેક ત્રીસ વર્ષે પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને અમરેલીના સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોં મીઠું કર્યું. આ સાથે […]
ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રામમંદિરના ભૂમિપૂજનને લઈ ખાસ ઉત્સાહિત છે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ભુપેન્દ્ર સિંહે રામમંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી જે છેક ત્રીસ વર્ષે પૂર્ણ થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને અમરેલીના સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોં મીઠું કર્યું. આ સાથે જ શંખ વગાડીને પ્રભુનો જયનાદ કર્યો હતો.