AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ખબર છે? વાંચો શું છે કારણ

મચ્છર કરડવાથી થતી ખંજવાળ શા માટે થાય છે તમે મચ્છર કરડવાથી થતા રોગોથી ચિંતિત છો, પરંતુ ઘણા લોકો મચ્છર કરડવાથી થતી ખંજવાળથી પણ ચિંતિત હોય છે.

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ખબર છે? વાંચો શું છે કારણ
Mosquitoes Bite
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 12:11 PM
Share

શું તમે પણ મચ્છર(mosquito) કરડવાથી થતી ખંજવાળથી પરેશાન કરે છે. હજુ ચોમાસાની સીઝન સંપૂર્ણ ગઇ નથી, મચ્છરોનો ઉપદ્રવ ખુબ વધી ગયો છે. જેના કારણે બિમારી ફેલાય છે પરંતુ શું તમે જોણો છો કે બધી મચ્છરો નથી કરડતા માત્ર થોડી જ જાતીના મચ્છર કરડે છે, તેમના કરડવાથી રોગો થાય છે, પરંતુ સામાન્ય મચ્છર કરડવાથી ખંજવાળ (Mosquitoes Bite itch) જરૂર આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે? જો ના… તો આજે અમે તમને સાચો જવાબ જણાવી રહ્યા છીએ…

મચ્છર કરડ્યા પછી ખંજવાળનું રહસ્ય જણાવતા પહેલા, ચાલો તમને મચ્છર સંબંધિત રસપ્રદ તથ્યો જણાવીએ. વાસ્તવમાં માત્ર માદા મચ્છર જ મનુષ્યનું લોહી ચૂસે છે, નર મચ્છર નથી કરતા. માદા મચ્છર ઈંડાના કારણે લોહી ચુસે છે, કારણ કે તેમને તેની જરૂર હોય છે. વિશ્વભરમાં મચ્છરોની લગભગ 3,500 પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ આમાંની મોટાભાગની જાતિઓ મનુષ્યોને બિલકુલ પરેશાન કરતી નથી. આ એવા મચ્છર છે જે ફળો અને છોડના રસ પર જ જીવે છે.

હવે આપણે જાણીએ છીએ કે મચ્છર કરડ્યા પછી ખંજવાળ કેમ આવે છે. મચ્છરની ચાંચ ઇન્જેક્શનની જેમ કામ કરે છે.તેના કરડવાથી તે જગ્યા એ એક નરી આંખએ ન દેખાય તેવો હોલ બની જાય છે. પરંતુ તે જગ્યાએ લોહિ ગંઠાઇ જતું નથી કારણ કે તેઓ શરીરમાં પોતાની થોડી લાળ છોડે છે. આ લાળ એન્ટીકોએગ્યુલન્ટ તરીકે કામ કરે છે .તે શરીરમાં ખંજવાળ અને લાલાશનું કારણ બને છે. એવું કહી શકાય કે મચ્છર કરડવાથી થતી ખંજવાળ મચ્છરની લાળમાં રહેલા રસાયણોને કારણે થાય છે.

જો આપણે મચ્છરોના જીવન વિશે વાત કરીએ, તો મચ્છર 2 મહિનાથી વધુ જીવવા માટે સક્ષમ નથી. બીજી તરફ માદા મચ્છર નર મચ્છર કરતાં ઘણું લાંબુ જીવે છે. જો આપણે નર મચ્છરના જીવન વિશે વાત કરીએ, તો તે ફક્ત દિવસો સુધી જીવે છે અને માદા મચ્છર 6 થી 8 અઠવાડિયા સુધી જીવે છે. વાસ્તવમાં માદા મચ્છર દર ત્રણ દિવસે ઈંડા મૂકે છે અને માદા મચ્છર લગભગ 2 મહિના જીવી શકે છે.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">