કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો ચાલો આજે જાણીએ પુસ્તક ગુજરાતની અસ્મિતાના પેજ નંબર 117 ઉપર આપેલી વિગતો કે ગુજરાતના એ કયા મુખ્યમંત્રી હતા, જે પાકિસ્તાની પ્રપંચ અને કાયરતાનો ભોગ બન્યા હતા. જાણો આ ઐતિહાસિક અને રાજકીય માહિતી વધારતી વિગતો.
Published On - 10:12 am, Wed, 23 November 22