
દેશમાં સતત વધી રહેલા ડિજિટલ બેંકિંગ ફ્રોડના કિસ્સાઓને જોતા ભારતીય રિઝર્વ બેંકે (RBI) ગ્રાહકો માટે એક સુરક્ષા કવચ પ્રસ્તાવિત કર્યું છે. આ અંતર્ગત જો કોઈ વ્યક્તિ સાથે ₹50,000 સુધીની છેતરપિંડી થાય છે, તો તેને નુકસાનના 85% સુધીનું વળતર મળી શકે છે.
આરબીઆઈના ડ્રાફ્ટ મુજબ, ગ્રાહકોને વધુમાં વધુ ₹25,000 સુધીનું વળતર આપવામાં આવશે. આ નિયમો 1 જુલાઈ, 2026 થી અમલમાં આવી શકે છે. વળતરની પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
નવા માળખા મુજબ, વળતરની રકમમાં આરબીઆઈ અને બેંકો વચ્ચે ફાળવણી કરવામાં આવી છે:
વળતર મેળવવા માટે ગ્રાહકે અમુક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે:
જો બેંક સુરક્ષા સિસ્ટમ જાળવવામાં નિષ્ફળ જાય, ટ્રાન્ઝેક્શન એલર્ટ ન મોકલે કે ફરિયાદ પર મોડી કાર્યવાહી કરે, તો તે બેંકની બેદરકારી ગણાશે. આવા કિસ્સામાં ગ્રાહકની કોઈ જવાબદારી રહેશે નહીં અને પૂરેપૂરું વળતર મળશે. જોકે, જો ગ્રાહકે જાતે OTP કે પિન શેર કર્યો હશે, તો તેને ગ્રાહકની બેદરકારી ગણવામાં આવશે.