
ગુજરાતમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે લોકો પોતાના કુલરમાં બરફના ટુકડા નાખીને તેને ‘બરફીલું’ બનાવવાનો પ્રયાસ કરે છે. ઘણા લોકો માને છે કે ટાંકીમાં બરફ નાખવાથી એસી જેવી ઠંડક મળશે, પરંતુ શું આ વાતમાં ખરેખર દમ છે? ટેક એક્સપર્ટ્સ અને વિજ્ઞાન કાંઈક અલગ જ વાર્તા કહે છે. સત્ય એ છે કે કુલરમાં બરફ નાખવાથી મળતી ઠંડક એટલી મામૂલી હોય છે કે જે કદાચ તમને અનુભવાય પણ નહીં!
કુલર જે ટેકનિકલ સિદ્ધાંત પર કામ કરે છે, તેમાં પાણી પોતાની જાતે જ ઠંડું થતું હોય છે. જ્યારે પંપ દ્વારા પાણી ઘાસ અથવા હનીકોમ્બ પેડ પર પડે છે અને તેમાંથી હવા પસાર થાય છે, ત્યારે ‘બાષ્પીભવન’ની પ્રક્રિયાથી પાણી કુદરતી રીતે જ ઠંડું થાય છે. જો તમે પાણીમાં સીધો બરફ નાખો છો, તો તે પાણીના પ્રવાહને કારણે મિનિટોમાં પીગળી જાય છે અને તેની અસર બહુ લાંબો સમય ટકતી નથી.
માત્ર એવા જ કુલરમાં બરફનો થોડો ફાયદો મળી શકે છે જેમાં અલગથી ‘આઈસ બોક્સ’ અથવા ‘આઈસ ચેમ્બર’ આપેલું હોય. પ્લાસ્ટિકના એવા કુલર જે રૂમની અંદર રાખવામાં આવે છે, તેમાં પાણી કુદરતી રીતે ઠંડું થવામાં વાર લાગે છે, ત્યાં બરફ થોડી રાહત આપી શકે છે. પરંતુ જો તમે બહારની હવા લેતું લોખંડનું મોટું કુલર વાપરતા હોવ, તો તેમાં બરફ નાખવો એ પાણી અને મહેનતનો બગાડ માત્ર છે.
જો તમારે કુલરમાંથી એસી જેવી ઠંડક જોઈતી હોય, તો બરફ નાખવાને બદલે આ ચાર બાબતો પર ધ્યાન આપો:
કુલરમાં બરફ નાખવાથી તે એસી નથી બની જતું. તેના કરતા કુલરને હવા ઉજાસવાળી જગ્યાએ રાખીને યોગ્ય રીતે વાપરશો, તો તે કુદરતી રીતે જ તમને શિમલા જેવી ઠંડક આપશે. તમારા ખિસ્સા પર બોજ વધારવા કરતા આ સ્માર્ટ ટિપ્સ અપનાવો!