AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: ભારતથી પાકિસ્તાન તરફ વહેતી નદીઓ કઈ છે?

ભારતમાં નદીઓ સાથે લોકોની આસ્થા પણ જોડાયેલી છે. આ જ કારણ છે કે ભારતમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને નદીઓની પૂજા પણ કરવામાં આવે છે. ભારતમાં વહેતી નદીઓ મુખ્યત્વે પર્વતીય શિખરોથી તેમની યાત્રા શરૂ કરે છે, મેદાનોમાંથી પસાર થાય છે અને સમુદ્રમાં સમાપ્ત થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભારતની એવી કેટલી નદીઓ છે, જે ભારતથી પાકિસ્તાન તરફ વહે છે.

GK Quiz: ભારતથી પાકિસ્તાન તરફ વહેતી નદીઓ કઈ છે?
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 6:20 PM
Share

GK Quiz : ભારતમાં નદીઓનું (River) વિશેષ મહત્વ છે. નદીઓ પીવાના પાણી માટે તેમજ ખેતીમાં પાકની સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત નદીઓ પર પ્લાન્ટ્સ સ્થાપિત કરીને પાવર પ્રોજેક્ટ્સ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ સાથે નદીઓ સાથે લોકોની આસ્થા પણ જોડાયેલી છે.

આ પણ વાંચો GK Quiz : ટ્રેનમાં દરવાજા પાસેની બારી અન્ય બારીઓ કરતાં અલગ હોય છે, જાણો કેમ ?

આ જ કારણ છે કે ભારતમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને નદીઓની પૂજા પણ કરવામાં આવે છે. ભારતમાં વહેતી નદીઓ મુખ્યત્વે પર્વતીય શિખરોથી તેમની યાત્રા શરૂ કરે છે, મેદાનોમાંથી પસાર થાય છે અને સમુદ્રમાં સમાપ્ત થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભારતની એવી કેટલી નદીઓ છે, જે ભારતથી પાકિસ્તાન તરફ વહે છે.

ભારતથી પાકિસ્તાન તરફ વહેતી નદીઓ

સિંધુ નદી

સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં ગણવામાં આવે છે. આ નદી તિબેટ અને કાશ્મીરની વચ્ચેથી વહે છે અને નંગા પર્વતના ઉત્તરીય ભાગમાંથી પસાર થયા પછી, આ નદી પાકિસ્તાનમાંથી પસાર થાય છે અને અંતે અરબી સમુદ્રમાં ભળી જાય છે.

આ નદીનો મોટાભાગનો ભાગ પાકિસ્તાનમાં છે. આ નદીની કુલ લંબાઈ 3610 કિલોમીટર છે. આ નદીની પાંચ ઉપનદીઓ ઝેલમ, ચંદ્રભાગા, ઈરાવતી, વિપાસા અને સતલુજ છે.

ચિનાબ નદી

ચિનાબ નદી હિમાચલ પ્રદેશના બારા લાચા પાસમાંથી નીકળે છે. અહીંથી દક્ષિણ તરફ વહેતી નદીને ચંદ્ર અને ઉત્તર તરફ વહેતી નદીને ભાગા કહેવામાં આવે છે. આ બંને નદીઓનું હિમાચલના ટાંડી ગામમાં સંગમ થાય છે, જેને ચિનાબ નદી તરીકે ઓળખવામાં આવે છે. આ નદી જમ્મુ-કાશ્મીરના જમ્મુ ક્ષેત્રમાંથી પાકિસ્તાનના મેદાનો તરફ વહે છે. આ નદીની કુલ લંબાઈ 960 કિલોમીટર છે.

રાવી નદી

રાવી નદીને લહોર નદી પણ કહેવામાં આવે છે. આ નદી હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાંથી નીકળે છે. આ પછી આ નદી જમ્મુ-કાશ્મીર અને પંજાબમાંથી પસાર થાય છે અને પાકિસ્તાનમાં ઝાંગ જિલ્લામાં ચિનાબ નદીમાં ભળી જાય છે. આ નદી અમૃતસર અને ગુરદાસપુરની સરહદ પણ બનાવે છે અને તેની કુલ લંબાઈ 720 કિલોમીટર છે.

ઝેલમ નદી

ઝેલમ નદીને વિતાસ્તા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નદી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ નામના સ્થળેથી નીકળે છે. આ નદી પાકિસ્તાન પ્રાંતના ત્રિમ્મુ નામના સ્થાને ચિનાબ નદી સાથે ભળી જાય છે. આ નદીની કુલ લંબાઈ 725 કિલોમીટર છે.

સતલુજ નદી

સતલુજ નદીનાનું પૌરાણિક નામ શુતુદ્રી છે. પંજાબમાં વહેતી પાંચ નદીઓમાં સતલુજ સૌથી લાંબી નદી છે. આ નદી દક્ષિણ-પશ્ચિમ તિબેટમાં આવેલા રક્ષાસ્તલ ગ્લેશિયરમાંથી નીકળે છે. ત્યાર બાદ આ નદી હિમાચલ પ્રદેશથી પંજાબના રૂપનગર જિલ્લામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ શિવાલિક પર્વતોની વચ્ચેથી નીકળી મેદાનોમાં પ્રવેશે છે. ત્યાંથી આ નદી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ બનાવતી પાકિસ્તાનમાં ફાઝિલ્કાની પશ્ચિમમાં વહે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">