હિંદુઓને નફરત કરનારા, હિંદુત્વ વિરોધી, ગુજરાત વિરોધી ઝોહરાન મમદાની શું બની શકશે દુનિયાના સૌથી મોંઘા શહેરના મેયર? વાંચો

ભારતીય મૂળના ઝોહરાન મમદાની અમેરિકાના સૌથી અમીર શહેર એવા ન્યૂયોર્ક શહેરના મેયર બની શકે છે. એક રીતે જોવા જઈએ તો કોઈપણ ભારતીય મૂળના નાગરિક જ્યારે વિદેશમાં આટલા મોટા પદ સુધી પહોંચે તો દરેક ભારતીયને ગર્વ થાય તે સ્વાભાવિક છે. પરંતુ અહી મુદ્દો જરા અલગ પ્રકારનો છે. આવો જાણીએ.

હિંદુઓને નફરત કરનારા, હિંદુત્વ વિરોધી, ગુજરાત વિરોધી  ઝોહરાન મમદાની શું બની શકશે દુનિયાના સૌથી મોંઘા શહેરના મેયર? વાંચો
| Updated on: Nov 04, 2025 | 8:03 PM

અહીં જે ભારતીય મૂળના શખ્સની આપણે વાત કરી રહ્યા છીએ તે હિંદુ, વિરોધી, હિંદુત્વ વિરોધી અને ભારત વિરોધી, મોદી વિરોધી, ભાજપ વિરોધી માનવામાં આવી રહ્યા છે. ઝોહરાન મમદાની વાસ્તવમાં એ ટુલકિટનો જ એક ભાગ છે જેઓ વિદેશમાં રહીને ભારતમાં દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, આગળ વધારે છે અને ભારતમાં રહેલા આ દેશવિરોધી વર્ગને આ ટુલકિટના માધ્યમથી ઈંધણ, ફન્ડ મળે છે.

ઝોહરાન મમદાની ન્યૂયોર્કના મેયર બનવા માટે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. સૌથી પહેલા તો તેના ભારતીય મૂળ વિશે આપને જણાવીએ કે તેનો ભારત સાથે શું નાતો છે અને ભારતના હિંદુઓને તેઓ કેટલી નફરત કરે છે તેના વિશે જણાવશુ.

કોણ છે ઝોહરાન મમદાની?

33 વર્ષિય ઝોહરાન મમદાની ઈન્ડિયન ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ એજ મીરા નાયર જેમણે ‘સલામ બોમ્બે’, ‘મોનસૂન વેડિંગ’ અને ‘ધ નેમ સેક’ જેવી ફિલ્મો બનાવી છે. ઝોહરાન મમદાની માતા ફિલ્મમેકર છે તો પિતા પ્રોફેસર છે. જે ગુજરાતી મૂળના ભારતીય મુસ્લિમ છે. ઝોહરાનના પિતા મહેમુદ મમદાની વર્ષો પહેલા ગુજરાતથી યુગાન્ડા શિફ્ટ કરી ગયા હતા અને ઝોહરાન મમદાનીનો જન્મ પણ યુગાન્ડાના કમ્પાલા શહેરમાં થયો હતો. મમદાની જ્યારે સાત વર્ષના હતા ત્યારે જ તેમનો પુરો પરિવાર યુગાન્ડાથી ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગયો હતો. બસ ત્યારથી મમદાની અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ રહે છે અને મમદાની મોટા થયા તો પોલિટિક લીડર બની ગયા ત્યાં સુધી તો બધુ બરાબર છે પરંતુ હવે ચાન્સિસ એવા છે કે તેઓ વિશ્વના સૌથી મોંઘા શહેરના નવા મેયર બની શકે છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ન્યૂયોર્ક શહેરના મેયર બનવા માટેની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.

ડેમોક્રેટિક પાર્ટીના મેયર પદના ઉમેદવાર છે ઝોહરાન મમદાની

ન્યૂયોર્ક શહેરના બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો અહીં મેયરની ચૂંટણીમાં ડેમોક્ર્રેટ્સને વધુ પસંદ કરવામાં આવે છે. મતલબ કે ડેમક્રેટિક પાર્ટીના ઉમેદવારને વધુ પસંદ કરવામાં આવે છે અને અક્સર તેઓ ચૂંટાઈને આવે છે. આ સમીકરણોને જોતા એવુ કહેવાય રહ્યુ છે કે મમદાન ન્યૂયોર્કના આગામી મેયર હરિપબ્લિકન પાર્ટીના મેયરપદના ઉમેદવાર સામે થશે. જો કે ભારતમાં મમદાનીને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે કારણ કે તેની છબી લેફ્ટ લિબરલ નેતા તરીકેની છે, જે ભારત વિરોધી અને હિંદુ વિરોધી વિચારધારાવાળા મનાય છે.

 

મોદી વિરોધી, બીજેપી વિરોધી, હિંદુ-હિંદુત્વ વિરોધી છે મમદાની

ભારતમાં મમદાનીની છબી હિંદુ વિરોધી અને કટ્ટર ડાબેરી માનસિક્તાવાળા મુસ્લિમ નેતાની છે. કોઈ પાર્ટીના વિરોધી હોવુ, ભાજપ વિરોધી કે મોદી વિરોધી હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ મમદાની દેશ વિરોધી વાતો કરે છે. ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવે છે. આવુ કેમ કહેવાય છે તો તેના માટે કેટલીક ઘટનાઓને તબક્કાવાર સમજીએ

એક પ્રોટેસ્માં દરમિયાન હિંદુઓને ગાળો બોલાઈ રહી છે અને મમદાની મજા લઈ રહ્યા છે

વર્ષ 2020માં રામ મંદિરના વિરોધમાં ન્યૂયોર્કમાં એક પ્રદર્શન થયુ. આ પ્રોટેસ્ટમાં મુસ્લિમો તો હતા, સાથોસાથ ખાલિસ્તાન સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકો હતા અને પાકિસ્તાનીઓ હતા. આ પ્રદર્શનમાં ભારત વિરોધી, હિંદુ વિરોધી ભાષણો કરવામાં આવ્યા. આ જ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઝોહરાન મમદાની પણ પહોંચ્યા હતા. જ્યારે મમદાની આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા તો તેમને અલગથી ભાષણ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. તેમનું આ ભાષણ રેકોર્ડ પણ થઈ રહ્યુ હતુ. તેમના આ ભાષણ દરમિયાન તેમની બરાબર પાછળની બાજુ હિંદુઓને સતત અપશબ્દો કહેવામાં આવી રહ્યા હતા. પરંતુ મમદાનીને તેનાથી કોઈ ફર્ક ન પડ્યો. હિંદુઓ માટે કહેવાતા એ અપશબ્દો સામે મમદાનીએ કોઈ જ આપત્તિ સુદ્ધા દર્શાવી ન હતી, ન તો તેમને અટકાવ્યા હતા. માઈક લગાવીને પ્રદર્શનમાં આવેલા ખાલિસ્તાનીઓ અને પાકિસ્તાનીઓ હિંદુઓને અપશબ્દો બોલી રહ્યા છે અને મમદાનીને તેનાથી કોઈ જ ફર્ક પડતો ન દેખાયો. મમદાનીનો આ એન્ટી હિંદુ અને એન્ટી ઈન્ડિયા હોવાનો આતો એક નાનકડુ ઉદાહરણ માત્ર છે.

મમદાનીએ અનેકવાર દેશ વિરુદ્ધ પોસ્ટ X  પર પોસ્ટ કરી છે

ઝોહરાન મમદાની સતત ભારત વિરુદ્ધ, ભારતની સરકાર વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ અને મોદીના વિરોધમાં અનેક ટ્વીટ કરતા રહે છે. ઝોહરાન મમદાનીના X હેન્ડલ પર જોશો તો જાણવા મળશે કે છેલ્લા 4,5 વર્ષો દરમિયાન તેમણે એવી અનેક X પર પોસ્ટ કરી છે જેમા તેઓ ભારતની સરકાર વિરોધી ઘણુ લખ્યુ છે. ભાજપનો કે સરકારનો વિરોધ કરવામાં કંઈ ખોટુ નથી પરંતુ સવાલ એ છે કે શું મમદાની એક દેશની વિરુદ્ધ લખી રહ્યા છે?

  1. ઓગસ્ટ 2020 માં મમદાનીઓ બાબરી મસ્જિદનો જૂનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યુ કે આ મસ્જિદ 400 વર્ષથી ભારતના શહેર અયોધ્યામાં હતી પરંતુ 1992 માં ભાજપે જે રમખાણો ભડકાવ્યા તે દરમિયાન તેને તોડી પાડવામાં આવી.
  2. આજે રાત્રે ટાઈમ સ્કવેર પર હિંદુ રાષ્ટ્રવાદી આ અત્યાચારોનો જશ્ન મનાવશે. આવુ લખીને મમદાની ઉશ્કેરવાનું પણ કામ કરી રહ્યા છે. જે લોકો વિરોધ માટે આવે તો તેમનો પ્રોટેસ્ટ કરવામાં આવે.
  3. મમદાની સંપૂર્ણપણે એન્ટી ઈન્ડિયા એજન્ડા ચલાવે છે. તે પણ એજ ટુલકિટનો એક ભાગ છે જે એવુ માને છે કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે. તેઓ સતત એવી પોસ્ટ કરતા આવ્યા છે.
  4. માર્ચ 2020માં તેમણે પોસ્ટ કરી હતી કે , 1972માં તેમના પરિવારને યુગાન્ડાથી એટલે પલાયન કરવા મજબુર કર્યો કારણ કે તેઓ ભારતીય હતા. આજે મારા ભાઈઓ-બહેનોને ભારતમાંથી એટલે ભગાડવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ મુસ્લિમ છે.
  5. અન્ય એક પોસ્ટમાં તેઓ લખે છે, ” ભારતની રાઈટ વિંગ સરકાર ભારતીય મુસ્લિમો પર હિંસા કરી રહી છે. ન્યૂયોર્કમાં 3 લાખ 30 હજારથી વધુ સાઉથ એશિયન્સ વસે છે અને તેમાના મોટાભાગના ભારતીય મૂળના મુસ્લિમો છે. આપણા નેતાઓએ ભારતની દક્ષિણપંથી સરકારોના અત્યાચારોની નિંદા કરવી જોઈએ”.
  6. X પર મમદાનીની દરેક પોસ્ટ મુસ્લિમોના પક્ષમાં છે એટલુ જ નહીં પરંતુ હિંદુ વિરોધી પણ ઘણી પોસ્ટ્સ છે. મમદાનીએ એક પોસ્ટમાં લખ્યુ છે, ભાજપ હિંદુત્વની એટલે કે હિંદુ સુપ્રીમસીની વિચારધારાને પ્રમોટ કરે છે. તે ભારતને એક ધર્મનિર્પેક્ષ પ્રજાસત્તાક રાષ્ટ્રમાંથી હિંદુ રાષ્ટ્ર બનાવશે.”
  7. જે કોઈપણ મુદ્દે ભારતની સરકાર ઘેરાયેલી હોય, કે દેશમાં કોઈ મુદ્દે આંદોલન ચાલતા હોય મમદાની તેમાં હિંદુ-મુસ્લિમવાળી ટુલકિટ તુરંત લઈને આવી જાય છે.
  8. ખેડૂત આંદોલન દરમિયાન પણ મમદાની એ લોકોમાં સામેલ હતા જે વિદેશમાં બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી આ આંદોલનની આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા હતા.
  9. જુઓ કેટલી ગેરમાર્ગે દોરનારી પોસ્ટ કરી મમદાનીએ, “45 દિવસથી 20 કરોડ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, જેમના પર પોલીસ દમન ગુજારી રહી છે, આ ઈતિહાસની સૌથી મોટી હડતાળ છે.”

કોરોના કાળમાં મમદાનીએ ભારતને લઈને જુઠાણુ ફેલાવ્યુ

કોરોના સમયે સરકારની ટીકા થવા લાગી તો વિદેશમાં બેસેલ આ જ ટુલકિટ ફરી પોસ્ટ કરવા લાગ્યુ. મમદાનીએ કોરોના સમયે લખ્યુ,” ભારતમાં 2 કરોડથી વધુ કોરોના ના કેસ છે, 2 લાખ 20 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે એક વિશ્લેષણ દ્વારા જણાવાયુ છે કે મોત 8 ગણી વધુ થઈ છે. આ કોઈ કુદરતી આપત્તિ (મહામારી) નથી પરંતુ મોદી અને ભાજપની નાકામી (નિષ્ફળતા)નું પરિણામ છે. આના પરથી તો કોઈપણ વ્યક્તિ સમજી જાય કે ઝોહરાન મમદાનીની ભારત વિશે, ભારતના હિંદુઓ વિશે, સરકારો વિશે, મોદી વિશે અને બીજેપી વિશે શું વિચારધારા છે.

ભાજપ કે સરકારનો વિરોધ કોઈપણ કરી શકે એમા કંઈ નવુ નથી પરંતુ મહામારી જેવા સમયે ભારત વિશે ખોટો પ્રોપેગેન્ડા ફેલાવવો કે ભારતમાં લોકો મરી રહ્યા છે, ભારતને સૌથી વધુ નુકસાન થઈ રહ્યુ છે, તો તમે દેશ સાથે અન્યાય કરી રહ્યા છો.

“ગુજરાતમાં રમખાણો બાદ મુસ્લિમો બચ્યા જ નથી”- મમદાની

મમદાની અવારનવાર ગુજરાત અંગે પણ અનેક દુષ્પ્રચાર ફેલાવે છે. ખાસ કરીને ગોધરાકાંડને લઈને. ઈન્ટરવ્યુમાં મમદાનીને જ્યારે ગુજરાત અંગે સવાલ કરવામાં આવે છે, મમદાનીના પિતા ગુજરાતી મુસ્લિમ હતા, આથી તેમને ગુજરાત અંગે સવાલ કરાય છે ત્યારે મમદાની ગુજરાતના વર્ષ 2002ના રમખાણોનો અવારનવાર ઉલ્લેખ કરીને સામો સવાલ કરે છે કે શું 2002ના તોફાનો બાદ શું ખરેખર ગુજરાતમાં કોઈ મુસ્લિમો બચ્યા છે ખરા? આ માત્ર એક દુષ્પ્રચાર છે. કારણ કે મમદાનીએ એ જાણી લેવુ જોઈએ કે ગુજરાતમાં 10 થી 12 ટકા મુસ્લિમો આબાદી છે.

મમદાનીના જુઠાણા માત્ર અહીં નથી અટક્તા. હિંદુઓના અને ભારતના કટ્ટર વિરોધી તો છે જ પરંતુ એ પણ મોટો સવાલ છે કે મમદાનીને ફન્ડીંગ કેવી રીતે મળે છે? તો આપને જણાવી દઈએ કે મમદાનીને ફન્ડીંગ કરનારી એજ ટુલકિટ છે જે અમેરિકામાં બેઠા-બેઠા ભારત વિરુદ્ધ, હિંદુઓ વિરુદ્ધ એજન્ડા ચલાવે છે.  મમદાનીને કોણ ફન્ડ કરે છે તે જાણવા માટે અહીં આપેલી લીંક પર ક્લિક કરો

મોદી વિરોધી, બીજેપી વિરોધી, એન્ટી ઈન્ડિયા એજન્ડા ચલાવનાર ઝોહરાન મમદાનીને ફન્ડીંગ કરનારી સંસ્થા કઈ છે? – વાંચો 

 

Published On - 8:45 pm, Mon, 30 June 25