ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન (ઓઆઈસી)ના સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં UAEએ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ગેસ્ટ ઑફ ઑનર તરીકે આમંત્રિત કર્યા. યૂએઈએ ભારતને આમંત્રિત કરતા લખ્યું, ‘વિશ્વમાં ભારતના મોટા રાજકીય કદ અને તેમની બેમિસાલ સાંસ્કૃતિક વિરાસતને ધ્યાનમાં રાખતા તેમને ઓઆઈસીની બેઠકમાં બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.’
પાકિસ્તાની વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશીએ આજે પોતાની સંસદમાં એલાન કર્યું કે તેઓ ઓઆઈસીમાં સુષ્મા સ્વરાજને આમંત્રિત કરવાના કારણે વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ નહીં લે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આખરે પાકિસ્તાનને મરચાં કેમ લાગ્યાં ?
હકીકતમાં ભારત મુસ્લિમોની વસતીના હિસાબે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે, પરંતુ પાકિસ્તાનને આ ક્યારેય મંજૂર નથી કે ભારત ઓઆઈસીમાં હોય, પરંતુ આવું થઈ જયું. આ પાકિસ્તાન માટે કોઈક મોટા આંચકાથી ઓછું નથી. આ વાતનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે જ્યારે યૂએઈ ભારતને આમંત્રિત કરવા પર અડી ગયં, તો મહમૂદ કુરૈશીએ બેઠકનો જ બહિષ્કાર કરી નાખ્યો.
પાકિસ્તાનને ઓઆઈસી અને યૂએઈના આ વલણ સામે મરચાં લાગવા સ્વાભાવિક છે, કારણ કે આપણો આ પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન 57 દેશોના મંચ ઓઆઈસીનો ઉપયોગ આપણી વિરુદ્ધ ઝેર ઓંકવા માટે કરતુ રહ્યું છે.
ઓઆઈસીમાં સામેલ 57 દેશોમાંથી 47 દેશો મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો છે. આ દેશોની કુલ વસતી 1.9 બિલિયન કરતા વધુ છે. ખાસ વાત આ છે કે ભારત નથી ઓઆઈસીનો સભ્ય કે નથી ઑબ્ઝર્વર. જોકે ભારતમાં દુનિયાની સૌથી મોટી ત્રીજી મુસ્લિમ વસતી રહે છે. તેથી ઓઆઈસીમાં ભારતને સ્થાન મળવું વ્યાજપી છે. 50 વર્ષ પહેલા મોરક્કોમાં ઓઆઈસીની પ્રથમ બેઠકમાં ભારતના તે વખતના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. જોકે તે વખતે પાકિસ્તાનના વિરોધના પગલે ભારતીય પ્રતિનિધિમંડળે અધવચ્ચેથી જ ઓઆઈસીમાંથી નિકળી જવુ પડ્યુ હતું.
મહત્વની વાત એ છે કે 50 વર્ષ પહેલા ભલે ભારતીય પ્રતિનિધિમંડળે પાકિસ્તાની વિરોધના પગલે ઓઆઈસીની બેઠક અધવચ્ચેથી છોડવી પડી હોય, પણ આજનું ભારત 50 વર્ષ પહેલાનું નથી. આજે ભારત એવા સમયે ઓઆઈસી મંચ પર પહોંચ્યુ કે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પરાકાષ્ઠાએ છે. ભારતને અપાયેલા નિમંત્રણને ઇસ્લામિક દેશોમાં 185 મિલિયન મુસ્લિમોએ આવકારદાયક માન્યુ છે. આ બદલાવ ઇસ્લામિક જગત માટે ભારતના ફાળાને ઉજાગર કરે છે.
ભારતની ઓઆઈસીમાં હાજરીથી પાકિસ્તાન એટલા માટે પરેશાન છે, કારણ કે અત્યાર સુધી આ સંગઠના દેશો કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓ પર પાકિસ્તાનનો પક્ષ લેતા રહ્યા છે અને તેમાં કાશ્મીર મુદ્દાનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાન આ મંચથી પ્રાયઃ કાશ્મીરમાં માનવાધિકાર ભંગનો મુદ્દો ઉઠાવતુ રહ્યું છે અને ભારતને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતુ રહ્યું છે, પરંતુ આ વખતે પરિસ્થિતિઓ બદલાઈ છે અને ઓઆઈસીએ પાકિસ્તાનને સાંભળવામાં નહીં, પણ ભારતને સાંભળવા અને સાચવવામાં વધુ રસ દાખવ્યો.
ભારતને ઓઆઈસીમાં આમંત્રણ મળવું કોઈ મોટી સિદ્ધિથી ઓછું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ એશિયામાં ભારતના સંબંધો ઘણા મજબૂત બન્યા છે. ખાસ તો યૂએઈ ભારતની બહુ નજીક આવ્યું છે કે જેના પગલે તેણે ઑગસ્ટા વેસ્ટલૅંડ કેસમાં ભારતીય આગ્રહ પર રાજીવ સક્સેના તથા ક્રિશ્ચિયન મિશેલને ડિપોર્ટ કરી દીધા. આ અગાઉ 2002માં કતરે સૌપ્રથમ ભારતને ઓઆઈસીની અંદર ઑબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવાની વકીલાત કરી હતી, જ્યારે ગયા વર્ષે તુર્કી અને બાંગ્લાદેશે ભારતને ઓઆઈસીમાં સામેલ કરવાની જરૂરિયાત ગણાવી હતી.
[yop_poll id=1896]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 9:31 am, Fri, 1 March 19