પૃથ્વી બચાવવા ધર્મની શરણમાં UN: ધાર્મિક સંસ્થાઓ પાસે વિશ્વના ચોથા ભાગની અર્થવ્યવસ્થા, 10% જમીન

|

Feb 22, 2021 | 5:47 PM

આ સદીનો સૌથી મોટો પડકાર હવામાન પરિવર્તન છે. હવે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) પૃથ્વીને બચાવવા માટે ધર્મની આશ્રય હેઠળ આવ્યું છે. યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) હેઠળ 'ફેઈથ ફોર અર્થ' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

પૃથ્વી બચાવવા ધર્મની શરણમાં UN: ધાર્મિક સંસ્થાઓ પાસે વિશ્વના ચોથા ભાગની અર્થવ્યવસ્થા, 10% જમીન

Follow us on

આ સદીનો સૌથી મોટો પડકાર હવામાન પરિવર્તન છે. હવે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) પૃથ્વીને બચાવવા માટે ધર્મની આશ્રય હેઠળ આવ્યું છે. યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) હેઠળ ‘ફેઈથ ફોર અર્થ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેનું લક્ષ્ય વિશ્વના તમામ ધાર્મિક સંગઠનો, ધર્મગુરુ અને આધ્યાત્મિક નેતાઓની મદદથી 2030 સુધીમાં પૃથ્વીના 30% ભાગને કુદરતી પરિસ્થિતિમાં ફેરવવાનું છે.

 

આ કાર્યક્રમના નિર્દેશક ડૉ. ઈયાદ અબુ મોગલી કહે છે કે હવામાન પરિવર્તનએ માનવ સમાજ માટે સૌથી મોટો ખતરો છે. તેમ છતાં વિશ્વની મોટાભાગની વસ્તી હજી પર્યાવરણીય સંવેદનશીલ બની નથી. હવામાન પરિવર્તનને રોકવાના તમામ પ્રયત્નોના નિષ્કર્ષથી, અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે માત્ર ધર્મમાં જ શક્તિ છે, જે વિશ્વની વસ્તીને પર્યાવરણીય લડવૈયાઓ બનાવી શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ડૉ. ઈયાદ એમ પણ કહે છે કે વૈજ્ઞાનિક આંકડા આપી શકે છે, પરંતુ આસ્થા જ પૃથ્વીને બચાવવા જનુન ઉત્પન્ન કરી શકે છે. ડૉ. ઈયાદ માને છે કે વિજ્ઞાન અને ધાર્મિક આસ્થા વચ્ચેનો સંબંધ જ્ઞાન અને અમલીકરણ જેવો છે. એક વગર બીજું અધૂરું છે. ‘ફેઈથ ફોર અર્થ’ અભિયાન શરૂ કરવા પાછળનો આ મૂળ વિચાર છે.

 

આ વિચાર કેવી રીતે આવ્યો?

આ અંગે ડૉ. ઈયાદ કહે છે કે 2017માં યુએનની બેઠકમાં 193 દેશોએ આગામી દાયકા માટે ત્રણ લક્ષ્યાંક નક્કી કર્યા હતા. પ્રથમ ગરીબી દૂર કરવા માટે, બીજું દરેકને શિક્ષિત કરવા અને ત્રીજું પર્યાવરણ બચાવવા માટે. આ વિચારધારામાં એવું ઉભરી આવ્યું છે કે પર્યાવરણને બચાવવામાં વિશ્વભરના ધાર્મિક સંગઠનોનું યોગદાન જેટલું મળવું જોઈએ તેટલું મળી નથી રહ્યું. આ સંસ્થાઓની તાકાતનો અંદાજ એવી રીતે લગાવી શકાય છે કે વિશ્વભરના 80% લોકો ધાર્મિક નૈતિકતાને અનુસરે છે.

 

ધાર્મિક સંસ્થાઓની પહોંચ

જો આ સંસ્થાઓની કુલ સંપત્તિનો સરવાળો કરવામાં આવે તો તે વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા હશે. આ સંસ્થાઓ પાસે વિશ્વની 10% રહેણાંક જમીન છે. 60% શાળાઓ અને 50% હોસ્પિટલો ધાર્મિક સંગઠનો સાથે સંકળાયેલા છે. માનવ કલ્યાણ માટે આ શક્તિને મુખ્ય ધારામાં લાવવાના આશયથી ‘ફેઈથ ફોર અર્થ’ અભિયાનનો જન્મ થયો છે.

 

ઈકો યોદ્ધાઓ પણ આ વર્ષે જિનીવાના ધર્મ સંસદ પહોંચશે

આ અભિયાન સાથે પોપ ફ્રાન્સિસ, શિયા ઈસ્માઈલી મુસ્લિમોના ‘ઈકો યોદ્ધા’ ઈમામ બન્યા છે. ભારતમાં આ અભિયાનના વડા અતુલ બગઈએ ટકાઉ ભવિષ્ય માટે સદગુરુ, શ્રી શ્રી રવિશંકર, શિવાની દીદી અને રાધાનાથ સ્વામી જેવા ધાર્મિક ગુરુઓ સાથે વાતચીત શરૂ કરી છે. ડૉ.ઈયાદ કહે છે કે આ વર્ષે વિશ્વના ધાર્મિક ગુરુઓની સંસદ જેનેવામાં યોજાશે. તેમાં ધાર્મિક ઈકો યોદ્ધાઓ પણ આવશે. વિજ્ઞાન અને ધાર્મિક આધ્યાત્મિક નીતિશાસ્ત્રને જોડીને અમે આ અભિયાનનો વિસ્તાર કરીશું.

 

આ પણ વાંચો: Sushant Singh Rajputના નામે રાષ્ટ્રીય એવોર્ડ શરૂ થવાની સંભાવના, ભાજપે મુક્યો પ્રસ્તાવ

Next Article