AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNHRCમાંથી બહાર થયા બાદ પ્રથમ વખત સંયૂક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળશે પુતિન, આગામી અઠવાડિયે થશે મુલાકાત

આ જ મહિનામાં 193 સભ્યોની જનરલ એસેમ્બલીમાં યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાંથી રશિયાને સસ્પેન્ડ કરવા માટે યુએસ દ્વારા લાવવામાં આવેલા ઠરાવને પસાર કરવાના ઠરાવની તરફેણમાં 93 મત પડ્યા હતા, જ્યારે ભારત સહિત 58 દેશો ગેરહાજર હતા.

UNHRCમાંથી બહાર થયા બાદ પ્રથમ વખત સંયૂક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળશે પુતિન, આગામી અઠવાડિયે થશે મુલાકાત
Vladimir Putin (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:53 AM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે બે મહિના થવા જઈ રહ્યા છે. બંને તરફથી લડાઈ ચાલુ છે અને રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. ત્યારે રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) આગામી અઠવાડિયે રશિયામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (António Guterres) સાથે મુલાકાત કરશે. ન્યૂઝ એજન્સી એફપીએ ક્રેમલિનને ટાંકીને આ સમાચાર આપ્યા છે. થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે (UNHRC) પુતિનની સભ્યતા સસ્પેન્ડ કરી દીધી હતી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તેમના સસ્પેન્શન પછી પ્રથમ વખત યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને મળશે. રશિયા એવો બીજો દેશ છે, જેનું UNHRC સભ્યપદ છીનવાઈ ગયું છે. જનરલ એસેમ્બલીએ અગાઉ 2011માં લિબિયાને કાઉન્સિલમાંથી સસ્પેન્ડ કરી દીધું હતું.

આ જ મહિનામાં 193 સભ્યોની જનરલ એસેમ્બલીમાં યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાંથી રશિયાને સસ્પેન્ડ કરવા માટે યુએસ દ્વારા લાવવામાં આવેલા ઠરાવને પસાર કરવાના ઠરાવની તરફેણમાં 93 મત પડ્યા હતા, જ્યારે ભારત સહિત 58 દેશો ગેરહાજર હતા. માનવ અધિકાર પરિષદમાં રશિયન ફેડરેશનના સભ્યપદના સસ્પેન્શન રાઈટ્સ શીર્ષકના ઠરાવ સામે 24 મત પડ્યા હતા. મતદાનમાં ગેરહાજર રહેલા દેશોમાં બાંગ્લાદેશ, ભૂતાન, બ્રાઝિલ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઇરાક, મલેશિયા, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

મતદાનમાં ભારતે ન હતો લીધો ભાગ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ મતદાન કર્યા પછી કહ્યું કે ભારતે રશિયન ફેડરેશનને માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવાના ઠરાવ પર આજે મહાસભામાં મતદાનમાં ભાગ લીધો ન હતો. અમે તર્કસંગત અને પ્રક્રિયાગત કારણોસર આ કર્યું છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી ભારત શાંતિ, વાતચીત અને કૂટનીતિના પક્ષમાં રહ્યું છે. અમારું માનવું છે કે લોહી વહેવડાવીને અને નિર્દોષ લોકોના જીવ લેવાથી કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. ભારતે જો કોઈ પક્ષ લીધો હોય તો તે શાંતિ અને હિંસાનો તાત્કાલિક અંત લાવવાનો છે.

અગાઉ ગુરુવાર રશિયાના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેણે યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, META CEO માર્ક ઝકરબર્ગ અને 27 અન્ય પ્રતિષ્ઠિત અમેરિકનોને તેમના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રાલયે તેની વેબસાઈટ પર એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાના જો બાઈડેન વહીવટીતંત્ર દ્વારા રશિયા વિરોધી પ્રતિબંધો વધારવાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે. કમલા હેરિસ અને માર્ક ઝકરબર્ગ ઉપરાંત, LinkedIn અને Bank of Americaના CEO, રશિયા-કેન્દ્રિત મેડુઝા ન્યૂઝ વેબસાઈટના સંપાદકો વગેરેને પણ રશિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો: Edible Oil Price: વધુ મોંઘુ ખાદ્ય તેલ ખરીદવા રહો તૈયાર, ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

આ પણ વાંચો: Navsari: 24 કલાકથી લાઈટ ન અવતાં બિલિમોરામાં મોડી રાત્રે લોકોએ DGVCLની કચેરી પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">