
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ. ત્યારે ચોક્કસપણે તેમના દેશના નાગરિકો સહિત વિશ્વભરના લોકોને એવી અપેક્ષા હતી કે તેઓ યુદ્ધની ડેડલાઈન અંગે કંઈક સ્પષ્ટતા કરશે. અથવા યુદ્ધ પુરુ થયુ હોવાનુ એલાન કરશે . પરંતુ સૌની અપેક્ષા પર ઠંડુ પાણી રેડી દેતા ટ્રમ્પે આમાનું કંઈ જ ન કહ્યુ. હાલ ઈરાન-અમેરિકા ઈઝરાયેલ યુદ્ધને 34 દિવસ થવા જાય છે અને ટ્રમ્પે હજુ બે થી ત્રણ સપ્તાહ સુધી યુદ્ધ શરૂ રાખવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે એ પણ દાવો કર્યો છે કે આ સમયગાળામાં તેઓ ઈરાનનો એવો હાલ કરશે કે તેને સીધુ પાષાણયુગમાં પહોંચાડી દેશે. શું છે ટ્રમ્પનો 21 દિવસનો વિનાશક પ્લાન? ટ્રમ્પના સંરક્ષણ મંત્રી પીટ હેગસથનો પ્લાન માત્ર ઈરાનને હરાવવાનો નથી. પરંતુ તેને આધુનિક યુગમાંથી પાષાણ યુગમાં પહોંચાડી દેવાનો છે. આ પ્લાન હેઠળ આગામી 21 દિવસમાં ઈરાનના પાવર જનરેટીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલા પ્રચંડ હુમલા કરવામાં આવશે કે ત્યાંનો પાવર સપ્લાય, પાણી અને સંદેશાવ્યવહાર જેવી પાયાની સુવિધાઓ પણ ખતમ થઈ જાય. ઈતિહાસનો સહારો લેતા પોતાના 21...
Published On - 9:03 pm, Thu, 2 April 26