ટ્રમ્પના વહીવટીતંત્રનુ કોર્ટમાં હાસ્યાસ્પદ નિવેદન, યુક્રેનમાં શાંતિ માટે ભારત પર ટેરિફ જરૂરી હોવાનું ગાણું ગાયું

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લગાવવાના પગલાનો ખુદ અમેરિકામાં જ વિરોધ થઈ રહ્યો છે. કેટલાક પક્ષકારોએ ટ્ર્મ્પ ટેરિફની સામે યુએસએની કોર્ટમાં દાવો કર્યો છે. આ દાવામાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત વિશ્વના અન્ય દેશ ઉપરના ઉત્પાદનો પર લગાવવામાં આવેલ ટેરિફને ગેરકાયદે ઠરાવવા કોર્ટમાં કેસ કરાયો છે.

ટ્રમ્પના વહીવટીતંત્રનુ કોર્ટમાં હાસ્યાસ્પદ નિવેદન, યુક્રેનમાં શાંતિ માટે ભારત પર ટેરિફ જરૂરી હોવાનું ગાણું ગાયું
| Edited By: | Updated on: Sep 04, 2025 | 3:45 PM

તાજેતરમાં, અમેરિકાએ ભારત પર કુલ 50 % ટેરિફ લાદી છે. નીચલી કોર્ટે ટ્રમ્પના ટેરિફના પગલાને ગેરકાયદેસર જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ પોતાની મર્યાદા ઓળંગી છે અને કટોકટીની સત્તાનો દુરુપયોગ કર્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેમાં ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફને જાળવી રાખવાની માંગ કરવામાં આવી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજોમાં ચેતવણી આપી છે કે ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફને દૂર કરવાથી અમેરિકા માટે વેપાર બદલો લેવામાં આવશે અને વિદેશમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો નબળા પડશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અપીલમાં, યુએસ સોલિસિટર જનરલ જોન સોયરે ન્યાયાધીશોને આ ટેરિફ જાળવી રાખવા અપીલ કરી હતી, જેને નીચલી કોર્ટ દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. અપીલમાં કહેવામાં આવ્યું છે કે, “આ કેસમાં દાવો ખૂબ મોટો છે.” દસ્તાવેજમાં ટેરિફને ‘યુક્રેનમાં શાંતિ માટેના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ’ અને ‘આર્થિક વિનાશ સામે રક્ષણ આપતી ઢાલ’ તરીકે વર્ણવવામાં આવી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું, ‘રશિયા-યુક્રેન યુદ્ધ પર ચાલી રહેલી રાષ્ટ્રીય કટોકટીનો સામનો કરવા માટે અમે તાજેતરમાં ભારત પર ટેરિફ લગાવી છે, કારણ કે તે રશિયન ઈંધણ ઉત્પાદનો ખરીદી રહ્યું છે. આ ટેરિફ દૂર કરવાથી અમેરિકા આર્થિક વિનાશની અણી પર ધકેલાઈ જશે.’

તાજેતરમાં, અમેરિકાએ ભારત પર પહેલા 25 % ટેરિફ લગાવી હતી. જેમાં કહ્યું હતું કે વેપાર ખાધ વધી રહી છે. ઉપરાંત, રશિયા સાથે ઈંધણ વેપાર સમાપ્ત કરવાના દબાણ સામે નમતુ ના જોખવા બદલ અમેરિકાએ ભારત પર વધારાની 25% ડ્યુટી ઉમેરી હતી. એટલે કે, કુલ 50% ટેરિફ લગાવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લગાવવાના પગલાનો ખુદ અમેરિકામાં જ વિરોધ થઈ રહ્યો છે. કેટલાક પક્ષકારોએ ટ્ર્મ્પ ટેરિફની સામે યુએસએની કોર્ટમાં દાવો કર્યો છે. આ દાવામાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત વિશ્વના અન્ય દેશ ઉપરના ઉત્પાદનો પર લગાવવામાં આવેલ ટેરિફને ગેરકાયદે ઠરાવવા કોર્ટમાં કેસ કરાયો છે.

આ પણ વાંચો : ભારતે ભાવ ના આપતા જગત જમાદાર ગિન્નાયા, દવા પર 200 ટકા ટેરિફ લાદવાની તૈયારી