AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seema Haider Case : અંજુ સાથે થયો લવ જેહાદ ! ગ્રામજનોએ કહ્યું: મોદી સરકાર પુત્રવધૂને પરત લાવે

પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચેલી ભારતની અંજુ વિશે તેના પતિ અરવિંદના પરિવારના સભ્યોએ કહ્યું છે કે તેની સાથે લવ જેહાદ થયો છે.

Seema Haider Case : અંજુ સાથે થયો લવ જેહાદ ! ગ્રામજનોએ કહ્યું: મોદી સરકાર પુત્રવધૂને પરત લાવે
Image Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:35 PM
Share

ભારતના રાજસ્થાનમાં રહેતી અંજુ તેના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચી છે, તેણે એક વીડિયો દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તે થોડા દિવસોમાં પરત ફરશે. જો કે આ સમગ્ર મામલે અરવિંદના ગામના લોકોની અલગ માન્યતા છે. ગામલોકો કહે છે કે અંજુ ખરેખર લવ જેહાદમાં ફસાઈ છે, તેથી તેને બચાવવાની જરૂર છે. તેમણે મોદી સરકારને અપીલ કરી છે કે સરકાર અંજુને વહેલી તકે પાછી બોલાવે.

આ પણ વાંચો: Seema Haider Case: લગ્ન કરેલી અંજુ પહોંચી Pakistan, 2 દિવસ પછી નસરુલ્લા સાથે સગાઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ

અંજુ ઉત્તર પ્રદેશના બલિયા શહેરના ખરકપુર ગામના રહેવાસી અરવિંદની પત્ની છે. આ ગામના લોકોનું કહેવું છે કે તેઓ અંજુને લઈને ચિંતિત છે. અંજુને ફેસબુક દ્વારા જાણીજોઈને પ્રેમ પ્રકરણમાં ફસાવી દેવામાં આવી છે. ગામના વડા પ્રતિનિધિ રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે અંજુ લવ-જેહાદનો શિકાર બની છે. તેમણે જણાવ્યું કે અંજુનો પતિ અરવિંદ તેની સાથે ભણતો હતો. તે લગભગ 20/22 વર્ષથી ત્યાં રહે છે.

સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે બદનામી

રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે અરવિંદને કોઈની સાથે કોઈ મતલબ નથી. અંજુ-અરવિંદના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા, ત્યારબાદ તેઓ ગામડા ગયા ન હતા. એકાદ-બે વાર ગયા પણ બંને જણ નોકરી કરતા હતા એટલે બહુ રહેવાયું નહિ. ગામના અન્ય લોકોએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે, અંજુના આ પગલાને કારણે તેની ઘણી બદનામી થઈ રહી છે. ધર્મ પરિવર્તનના મામલે તેમણે કહ્યું કે ગામમાં 100 ઘર છે જેમાં 30થી 40 ટકા લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. ગામના તમામ લોકોએ પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કર્યું છે.

પાકિસ્તાનથી પરત ફરવું એટલું સરળ નથી

બીજી તરફ, અરવિંદના નાના ભાઈનું કહેવું છે કે ભાભી બીજા દેશમાં ગઈ છે, આ સાંભળીને તેને દુઃખ થયું છે. તેમણે પાકિસ્તાન ન જવું જોઈતું હતું. અમને એ પણ ડર છે કે તે દુશ્મનના દેશમાં ગઈ છે. જો તે બીજા દેશમાં ગઈ હોત તો કોઈ સમસ્યા ન હોત. તેણે કહ્યું કે પાકિસ્તાનથી પાછા આવવું એટલું સરળ નથી, તેણે એમ પણ કહ્યું કે તે તેના પ્રેમીને મળવા ગઈ છે અને તેમને બે બાળકો છે, જેમાં મોટી દીકરી 15 વર્ષની છે. આ દરમિયાન તેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે અંજુને સુરક્ષિત પરત લાવવાની માંગ કરી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">