પાક પીએમ ઇમરાન ખાનનો દાવો, બલૂચિસ્તાનમાં થયેલા હુમલામાં આંતકીઓને મળી વિદેશી મદદ

|

Feb 08, 2022 | 9:20 PM

2 ફેબ્રુઆરીએ, બલૂચ વિદ્રોહીઓએ દક્ષિણ-પશ્ચિમ અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં હુમલો કર્યો. જેમાં લગભગ 9 જવાનો અને 20 આતંકીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને દાવો કર્યો છે કે આ હુમલા માટે આતંકવાદીઓને વિદેશી સમર્થન મળ્યું હતું.

પાક પીએમ ઇમરાન ખાનનો દાવો, બલૂચિસ્તાનમાં થયેલા હુમલામાં આંતકીઓને મળી વિદેશી મદદ
Terrorists responsible for attack in Balochistan received foreign help claims Pakistan PM Imran Khan

Follow us on

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન (Pakistan) ખાને (Imran Khan) મંગળવારે દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમ અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં તાજેતરના ઘાતક હુમલામાં સામેલ આતંકવાદીઓને (Terrorist) વિદેશી સમર્થન હતું. ગયા અઠવાડિયે પ્રાંતના નૌશ્કી અને પંજગુર વિસ્તારોમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 9 સૈનિકો અને 20 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે અલગતાવાદી સંગઠને તાજેતરમાં સુરક્ષા દળો અને સ્થાપનો પર હુમલા તેજ કર્યા છે. સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે લડાઈ દરમિયાન તેઓએ અફઘાનિસ્તાન અને ભારતમાં આતંકવાદીઓ અને તેમના હેન્ડલર્સ વચ્ચે વાતચીતમાં વિક્ષેપ પાડ્યો હતો.

વિદેશ મંત્રાલયે આતંકવાદી હુમલામાં ભારતની સંડોવણીના પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધા છે. MEAએ કહ્યું હતું કે પાકિસ્તાન બેહાલ છે. ઈસ્લામાબાદના આતંકી હુમલાને અન્ય કોઈએ નહીં પરંતુ તેના પોતાના નેતૃત્વએ સ્વીકાર્યું છે.

વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે નૌશ્કીની મુલાકાત લીધી હતી, જ્યાં હુમલામાં એક અધિકારી સહિત ચાર સૈનિકો માર્યા ગયા હતા. સૈનિકોને સંબોધિત કરતા ખાને કહ્યું કે બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વિદેશી ફંડિંગ સામેલ છે, પરંતુ અરાજકતા ફેલાવનારાઓને તેનાથી કંઈ મળશે નહીં. તેમણે કહ્યું કે અમને આશા છે કે આતંકવાદીઓ પાકિસ્તાનમાં ક્યારેય સફળ નહીં થાય.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પીએમ ઈમરાને ફ્રન્ટિયર કોર્પ્સ અને રેન્જર્સના અર્ધલશ્કરી દળોના પગારમાં 15 ટકાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે, જે બલૂચિસ્તાન અને પડોશી સિંધ પ્રાંતમાં બળવા સામે લડવામાં અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મોખરે છે. ખાને એમ પણ કહ્યું કે સરકાર બલૂચિસ્તાનના વિકાસ માટે પ્રોજેક્ટ ચલાવી રહી છે. તેમણે કહ્યું કે અમે અહીં વિકાસના કામ એટલી હદે કરીશું કે સરકાર અને સશસ્ત્ર દળો સામે લોકોને ભડકાવનારા તત્વોનું કોઈ સાંભળશે નહીં. તેમણે કહ્યું કે, USD 60 બિલિયન ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટનો બીજો તબક્કો ઔદ્યોગિકીકરણ અને ટેકનોલોજીના પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો સીધો ફાયદો બલૂચિસ્તાનને થશે. પાક પીએમ સ્થાનિક આદિવાસી વડીલોને પણ મળ્યા હતા.

પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે જનરલ બાજવાએ સૈનિકો સાથે દિવસ વિતાવ્યો અને 2 ફેબ્રુઆરીએ હુમલાને નિષ્ફળ બનાવનારા લોકોને પણ મળ્યા. તેમને વિસ્તારની સુરક્ષા સ્થિતિ તેમજ સૈનિકોની તૈયારી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. 25-26 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે, પ્રાંતના કેચ જિલ્લામાં સુરક્ષા દળોની ચેકપોસ્ટ પર આતંકવાદી હુમલામાં 10 સૈનિકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો –

Ukraine crisis: જો રશિયા યુક્રેન પર હુમલો કરશે, તો તેના પર પ્રતિબંધો લગાવવામાં આવશે’, બોરિસ જોન્સનની ચેતવણી

આ પણ વાંચો –

Ukraine Crisis: ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત બાદ પુતિન સમાધાન કરવા તૈયાર છે, કહ્યું- ‘પ્રસ્તાવો પર કરશે વિચાર’

Next Article