જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં ખાતે ફરીથી આતંકવાદીઓએ હુમલો કર્યો છે. પેટ્રોલિંગ કરી રહેલી ટુકડીને નિશાન બનાવવામાં આવી છે. એવી જાણકારી મળી રહી છે કે આતંકવાદી હુમલો કર્યા બાદ ભાગી ગયા હતા. આતંકવાદીઓને ઝડપી લેવા માટે સેનાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. સેના દ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર ઓપન ફાયર કર્યું હતું. 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી દેવાઈ છે. જે બાદ આ ચોથો મોટો હુમલો આતંકવાદીઓએ કર્યો છે.
આ પણ વાંચો : પીએમસી ખાતાધારકોએ RBI ઓફિસ બહાર કર્યું પ્રદર્શન, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો