AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનો કાળ તહરીક-એ-તાલિબાન ! પોલીસ પર હુમલાની વધુ ધમકીઓ આપી

પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને (pakistan) તેના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાની દ્વારા જારી નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલાથી પ્રાંતીય સરકારને ભારે ચિંતા અને શરમ આવી છે.

પાકિસ્તાનનો કાળ તહરીક-એ-તાલિબાન ! પોલીસ પર હુમલાની વધુ ધમકીઓ આપી
આતંકીઓની પોલીસ પર હુમલાની ધમકી (સાંકેતિક ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 9:55 AM
Share

શુક્રવારે પાકિસ્તાની તાલિબાને પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર ઘાતક ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક નાગરિકના મોત થયા હતા, જ્યારે 18 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. તહરીક-એ-તાલિબાન (પાકિસ્તાન)ના આતંકવાદીઓ સતત પોલીસકર્મીઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. મોટી વાત એ છે કે TTPએ કાયદા અમલીકરણ અધિકારીઓ સામે વધુ હુમલાની ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

TTP એ શનિવારે અંગ્રેજીમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પોલીસકર્મીઓએ ગુલામ સૈન્ય સાથેના અમારા યુદ્ધથી દૂર રહેવું જોઈએ, અન્યથા ટોચના પોલીસ અધિકારીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો પર હુમલા ચાલુ રહેશે.” તાલિબાન તેમના નેતાઓની હત્યા માટે પોલીસકર્મીઓને દોષી ઠેરવે છે.

કરાચીનું મુખ્ય બજાર વિસ્ફોટોના અવાજથી હચમચી ગયું હતું

શુક્રવારે કરાચીનું મુખ્ય બજાર કેટલાક કલાકો સુધી ગોળીબાર અને વિસ્ફોટોના અવાજથી ધ્રૂજી ઊઠ્યું હતું. તાલિબાનની આત્મઘાતી ટુકડીએ શુક્રવારે દક્ષિણ બંદર શહેરમાં ફેલાયેલા કરાચી પોલીસ ઑફિસ સંકુલમાં હુમલો કર્યો, જેમાં બે હુમલાખોરો માર્યા ગયા અને ત્રીજાએ કલાકો સુધી ચાલેલી ગોળીબારમાં પોતાની જાતને ઉડાવી દીધી. અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં બે પોલીસ અધિકારીઓ, એક આર્મી રેન્જર અને એક સહાયક સ્વચ્છતા કર્મચારી માર્યા ગયા.

એજન્સીઓ સુરક્ષા ક્ષતિઓનું ઓડિટ કરશે

પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓ અને સિંધ સરકાર પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓ દ્વારા કરાચી હુમલામાં ગંભીર સુરક્ષા ખામીનું ઓડિટ કરશે. પ્રાંતીય વહીવટીતંત્રના એક વરિષ્ઠ સભ્યએ ડૉન અખબારને જણાવ્યું કે, સુરક્ષામાં ગંભીર ખામી હોવાનું જણાય છે. સમાચાર અનુસાર, અધિકારીઓએ સ્વીકાર્યું છે કે હુમલાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને સુરક્ષા ઓડિટની જરૂર છે.

નવેમ્બરથી આતંકી હુમલામાં વધારો થયો છે

પાકિસ્તાનમાં નવેમ્બરથી આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે જ્યારે પાકિસ્તાની તાલિબાને સરકાર સાથે મહિનાઓથી ચાલેલા યુદ્ધવિરામનો કરાર તોડ્યો હતો. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન એક અલગ જૂથ છે અને તેને અફઘાનિસ્તાનમાં તાલિબાન જૂથનો કથિત સહયોગી માનવામાં આવે છે. તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખવામાં આવે છે.

(ઇનપુટ-ભાષાંતર)

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">