AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી”, બજેટ સત્રમાં પાકિસ્તાનના PM સામે કેમ થઇ આ નારાબાજી? જુઓ વિડીયો

બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પાકિસ્તાની વિપક્ષ ઇમરાન ખાન પર તૂટી પડ્યો. વિપક્ષના નેતાઓએ 'ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી' ના જોર જોરથી નારા લગાવ્યા.

ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી, બજેટ સત્રમાં પાકિસ્તાનના PM સામે કેમ થઇ આ નારાબાજી? જુઓ વિડીયો
પાકિસ્તાનના બજેટ સત્રમાં નારાબાજી
| Updated on: Jun 12, 2021 | 10:04 AM
Share

પાકિસ્તાનમાં ઇમરાન સરકાર પર લગાતાર વિપક્ષ હુમલા કરતુ રહે છે. પાકિસ્તાનની હાલત પણ અત્યારે ખરાબ છે. પાકમાં સતત મોંઘવારી અને બેરોજગારી વધતી રહે છે. જેના કારણે ઇમરાનને સતત આલોચના સહન કરવી પડી રહી છે. શુક્રવારે પાકમાં બજેટ સત્ર દરમિયાન હોબાળો મચી ગયો. જેમાં, આગામી નાણાકીય વર્ષ 2021-22 માટે યોજના બનાવવામાં આવી હતી. પરંતુ આ સમય દરમિયાન પણ વિપક્ષે પાકિસ્તાનના વડાપ્રધાન અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા.

ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી

હકીકતમાં વાત એમ છે કે બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પાકિસ્તાની વિપક્ષ ઇમરાન ખાન પર તૂટી પડ્યો. વિપક્ષના નેતાઓએ ‘ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી’ ના જોર જોરથી નારા લગાવ્યા. આ દરમિયાન કેટલાક સાંસદો સરકારનો વિરોધ કરવા માટે હાથમાં પોસ્ટર લઈને આવ્યા હતા, જ્યારે કેટલાક સાંસદો ટેબલ પર હાથથી તાળીઓ વગાડીને તેમનું સમર્થન કરી રહ્યા હતા.

સાંસદો સતત સૂત્રોચ્ચાર કરતા હતા અને તેઓ સરકારથી કેટલા નિરાશ છે તે જાહેર કરતા હતા. પાકના PM માટે વપરાયેલું આ સૂત્ર “ડોન્કી રાજા કિ સરકાર” વાયરલ થઇ રહ્યું છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પાકમાં વધી રહી છે ગધેડાઓની સંખ્યા

તમને જણાવી દઈએ કે ઇમરાન સરકારના નેતૃત્વમાં બે વાર ગધેડાઓની સંખ્યા વધી છે. વર્ષ 2020-21 માં ગધેડાઓની સંખ્યા વધીને 56 લાખ થઇ ગઈ છે. સર્વેમાં જણાવ્યું છે કે ગધેડાની સંખ્યા 55 લાખથી વધીને 56 લાખ થઇ ગઈ છે. ગધેડાઓની વધતી સંખ્યાની સમસ્યા અટકાવવા માટે, પાકિસ્તાન તેમને ચીનમાં નિકાસ કરશે. ચાઇના પણ તેમને ભારે ભાવ ચૂકવીને ખરીદે છે. તે જ સમયે, આ જ કારણ છે કે વિપક્ષે સંસદમાં ‘ડોન્કી રાજા કી સરકાર’ ના નારા લગાવ્યા.

વિપક્ષે બજેટ સત્રનો વિરોધ કર્યો

બીજી તરફ, પાકિસ્તાનના વિપક્ષી નેતાઓએ બજેટ સત્રમાં આર્થિક વિકાસ અને વિકાસ અંગેના સરકારના વલણને નકારી દીધું હતું. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22ના સંઘીય બજેટનો વિરોધ કરવા તેઓ એક સાથે આવશે. પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફે કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓએ નિર્ણય લીધો છે કે અમે સરકારને સખત પડકાર આપીશું અને તેમ્જા કારસ્તાનને ઉજાગર કરીશું. જેને તેમણે ખોટા આંકડા અને ભ્રામક નંબરો દ્વારા જનતા સમક્ષ મૂક્યું છે.

આ પણ વાંચો: Video: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આ કાર્યકર્તાએ પોતાનું જ બાઈક તળાવમાં ફેંકી દીધું

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">