સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ

જે લોકો પોતાની કંપનીમાં એપ્રેઝલની કે સેલરી વધવાની રાહ જોઈ રહ્યા હોય તેમના માટે આ સમાચાર છાતી પર ચાકુ રાખવા જેવા સાબિત થશે. જેનુ કારણ છે કે કોર્પોરેટ સેક્ટરમાં  એમ્પલોઈએ કાગડોળે રાહ જોયા બાદ માંડ-માંડ તેને 10/12 ટકાનો વધારો મળે છે ત્યારે સિંગાપોરના વડાપ્રધાનની સેલરી જોઈને તેઓ ચોંકી જાય તો નવાઈ નથી. સિંગાપોરના PM ની સેલરીમાં તાજેતરમાં 64 ટકાનો વધારો કરાયો છે અને આ સાથે તેમની સેલરી વધીને થઈ ગઈ છે 27 કરોડ વાર્ષિક.... યસ, જે આપણા દેશના PM નરેન્દ્ર મોદી, ટ્રમ્પ, પૂતિન અને જિંનપિંગને મળતી સેલરી કરતા પણ અનેકગણી વધુ છે. તો વાંચો આખરે ટચુકડો એવો દેશ તેના PM ને શા માટે આટલો મોટો તગડો પગાર ચુકવે છે.

સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ
| Updated on: Sep 10, 2026 | 6:59 PM

આજે વિશ્વભરમાં સિંગાપોરના ક્લિન વેજ મોડેલની આટલી ચર્ચા કેમ થઈ રહી છે? તેનું કારણ છે સિંગાપોરના પ્રધાનંત્રી લોરેન્સ વોંગની સેલરીમાં કરાયેલો 64 % નો ધરખમ વધારો. સિંગાપોરના વડાપ્રધાનને મળતી સેલરી વિશ્વની મહાસત્તા ગણાતા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો કરતા પણ અનેક ગણી છે અને આ વધારા સાથે સિંગાપોર પીએમ વિશ્વના પ્રથમ એવા નેતા છે જેને આટલો તગડો પગાર મળશે. ભારતમાં અનેક એવી કંપની છે જે દર વર્ષે તેમના કર્મચારીઓને એપ્રેઝલમાં માંડ માંડ 8-10 ટકાનો વધારો આપે છે. ત્યારે સિંગાપોરના પ્રધાનમંત્રી ની સેલરીમાં 64% વધારો થયો એ સાંભળીને અનેક કોર્પોરેટ એમ્પલોઈને આ સમાચાર તેની છાતીના પાટીયા બેસી જાય તેવા લાગશે. 64 ટકાનો વધારો એ કોઈની નાનીસુની વાત નથી. સિંગાપોરના પ્રધાનમંત્રીનો પગારમાં 64 ટકાના વધારા સાથે હવે તેમને મળનારુ વાર્ષિક વેતન થઈ ગયુ છે 27 કરોડ રૂપિયા.  દુનિયાનો એકપણ દેશ એવો નથી જ્યાં રાષ્ટ્રપતિ, ચાન્સેલર કે પ્રધાનમંત્રીની વાર્ષિક આવક 10 કરોડથી વધુ હોય.

સૌથી વધુ સેલરી લેતા રાષ્ટ્રાધ્યક્ષોમાં ટોચ પર છે સિંગાપોરના PM લોરેંસ વોંગ

સૌથી ઉપર છે સિંગાપોરના PM લોરેંસ વોંગ

જેમની સેલરી છે 27 કરોડ

2

સૌથી વધુ સંપત્તિવાળા રાષ્ટ્રધ્યક્ષો

 

 

સિંગાપોર ‘ક્લિન વેજ મોડલ’ ને અનુસરે છે, જેનો અર્થ છે સાફસુથરી  વેતન વ્યવસ્થા

નીતિ શાસ્ત્ર કહે છે કે જો દેશના નેતાઓ પાસે સેવા કરાવવી હોય તો તેના માટે તેને વધુમાં વધુ આકર્ષક વેતન આપવુ જોઈએ તો એ ભ્રષ્ટ ન બને. સિંગાપોરે આ મોડેલ અપનાવ્યુ છે. વિશ્વમાં સિંગાપોર એવો દેશ છે જેની Per capita Income (સરેરાશ માથાદીઠ આવક) સૌથી વધુ છે. આ સાથે જ વિકસીત દેશના રૂપ સિંગાપોરે તેની એક અલગ જ ઓળખ બનાવી છે. ભ્રષ્ટાચારની બાબતમાં No Mercy- ઝીરો ટોલરન્સની નીતિને અનુસરે છે. આ જ બાબતે તેઓ આ ક્લિન વેજ પોલિસીને અનુસરે છે. સિંગાપોરનું માનવુ છે કે આટલો તોતિંગ પગાર એટલે આપવામાં આવે છે કે નેતાઓને ભ્રષ્ટાચાર કરી પૈસા કમાવાની લાલચ જ ન રહે.

ભણેલ-ગણેલ યુવાનોને રાજનીતિમાં લાવવા માટે

બીજી તરફ યુવાનોને પણ તોતિંગ પગાર દ્વારા સંદેશ આપવામાં આવે છે કે રાજનીતિ પણ તેમના માટે એક સારી કારકિર્દી નો વિકલ્પ બની શકે છે. સિંગાપોર તેના પીએમને સૌથી વધુ પગાર આપીને દેશવાસીઓને ખાસ કરીને યુવાનોને એ સૂચિત કરે છે કે પ્રાઈવેટ નોકરી કરતા વધુ પૈસા લોકોની સેવા કરવામાં સરકારી નોકરીમાં મળી શકે છે. આજે વિશ્વભરમાં સિગોપોરના આ ક્લિન વેજ મોડલની ઘણી ચર્ચા થાય છે. અન્ય દેશોમાં પણ એવુ જ કહેવાય છે કે જો રાજનીતિમાં સારી સેલરી મળે તો સારુ ભણેલા-ગણેલા અને કાબેલિયતવાળા યુવકો પણ તેને પોતાની કેરિયર બનાવી શકે છે. સિસ્ટમમાં- સરકાર માં આવા ભણેલા ગણેલા લોકોની સંખ્યા વધશે તો લોકોની સમસ્યાઓનું સમાધાન પણ વધુ સારી રીતે લાવી શકાશે અને તેમને જનતાના પૈસા લૂંટવાનો ક્યારેય વિચાર પણ નહીં આવે.  ટેબલ નીચેથી કે ચોર રસ્તા શોધીને ખીસ્સા ગરમ કરવાનો ભાવ તેમના મનમાં નહીં રહે.

સિંગાપોરના PMની સેલરી ભારતના PM કરતાં કેટલી વધારે?

સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગની સેલરીની સરખામણી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવે તો બંને વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સિંગાપોરમાં વડાપ્રધાનને મળતું વાર્ષિક વેતન આશરે 27 કરોડ રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતું વાર્ષિક વેતન આશરે 22 લાખ રૂપિયા છે. એટલે સિંગાપોરના વડાપ્રધાનનું વેતન ભારતના વડાપ્રધાનની સરખામણીએ અનેક ગણું વધારે છે.

સિંગાપોરની આ નીતિ પાછળ માત્ર ઊંચો પગાર આપવાનો હેતુ નથી, પરંતુ દેશની રાજકીય વ્યવસ્થામાં સક્ષમ અને પ્રતિભાશાળી લોકોને આકર્ષવાનો વિચાર પણ જોડાયેલો છે. સિંગાપોર લાંબા સમયથી એવી દલીલ કરે છે કે જો રાજકીય નેતાઓને તેમની જવાબદારી અને ક્ષમતા પ્રમાણે આકર્ષક વેતન આપવામાં આવે તો ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ મજબૂત બની શકે છે. સરકારનું માનવું છે કે ઊંચું સત્તાવાર વેતન નેતાઓને ગેરકાયદે રીતે નાણાં કમાવાની પ્રેરણા ઘટાડવામાં મદદ કરી શકે છે.

સિંગાપોરની Per Capita Income આટલી ઊંચી કેવી રીતે થઈ?

સિંગાપોર આજે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં ગણાય છે અને તેની માથાદીઠ આવક એટલે કે Per Capita Income વિશ્વના અગ્રણી દેશોમાં છે. ભારત સાથે તેની સરખામણી કરવામાં આવે તો બંને દેશોની પ્રતિ વ્યક્તિ આવકમાં મોટો તફાવત જોવા મળે છે. સિંગાપોરની વાર્ષિક પ્રતિ વ્યક્તિ આવક ભારતીય રૂપિયામાં અંદાજે ₹70 લાખથી વધુના સ્તરે છે, જ્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આવક તેના કરતાં ઘણી ઓછી છે. જોકે આ આંકડો કયા વર્ષના GDP અને કયા વિનિમય દરના આધારે ગણવામાં આવે છે તેના પ્રમાણે બદલાઈ શકે છે.

સિંગાપોરની આ સમૃદ્ધિ પાછળ સૌથી મોટું કારણ તેની ભૌગોલિક સ્થિતિ અને વ્યૂહાત્મક આયોજન છે. નાનો દેશ હોવા છતાં સિંગાપોરે પોતાને એશિયાના સૌથી મહત્વપૂર્ણ વેપાર અને ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવ્યો. વિશ્વના વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગો પર તેનું સ્થાન હોવાથી અહીં પોર્ટ, શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર ઝડપથી વિકસ્યું.

આ ઉપરાંત સિંગાપોરે વિદેશી કંપનીઓ માટે અનુકૂળ બિઝનેસ વાતાવરણ ઊભું કર્યું. સરળ નિયમો, મજબૂત કાયદાકીય વ્યવસ્થા, સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ અને રાજકીય સ્થિરતાના કારણે દુનિયાની મોટી કંપનીઓએ સિંગાપોરમાં રોકાણ કર્યું. પરિણામે ફાઇનાન્સ, બેન્કિંગ, ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર દેશની અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ આધાર બન્યા.

સિંગાપોરે શિક્ષણ અને કુશળ માનવબળ પર પણ મોટું રોકાણ કર્યું. ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી અને સરકારી તંત્રમાં કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપવાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. એટલે સિંગાપોરની ઊંચી Per Capita Income માત્ર એક કારણનું પરિણામ નથી, પરંતુ લાંબા સમયથી અપનાવવામાં આવેલી વેપાર, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને સુશાસનની નીતિઓનું પરિણામ છે.

અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે સિંગાપોરનું મહત્વ

અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા વધતી જાય છે ત્યારે સિંગાપોરનું ભૌગોલિક અને વ્યૂહાત્મક મહત્વ પણ વધી રહ્યું છે. ચીન માટે સિંગાપોર એશિયાના વેપાર અને સમુદ્રી માર્ગોમાં મહત્વનું કેન્દ્ર છે, જ્યારે અમેરિકા માટે તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. સિંગાપોર બંને મહાસત્તાઓ સાથે સંબંધો જાળવીને પોતાની વ્યૂહાત્મક સ્વતંત્રતા જાળવવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ રશિયા સાથે પણ સિંગાપોરના રાજદ્વારી અને વેપારી સંબંધો છે, જોકે યુક્રેન યુદ્ધ બાદ તેણે રશિયા સામે કેટલીક પ્રતિબંધાત્મક નીતિઓ અપનાવી છે. આમ, અમેરિકા-ચીન-રશિયા જેવી મોટી શક્તિઓ વચ્ચે સંતુલન જાળવવાની સિંગાપોરની નીતિને કારણે તે વિશ્વમાં સૌથી સમદ્ધ દેશ તરીકે ઉભરી રહ્યો છે.

શું નાસ્તિક દેશ ચીન ભારતીયોની કૈલાશ માનસરોવર યાત્રાને વિદેશનીતિના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યુ છે ?

Published On - 6:53 pm, Thu, 10 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.