AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singapore: ભારતીયો સામે નફરત ફેલાવવાની ચીનની ચાલ નાકામ, સિંગાપોર સરકારે તુરંત ભડકાઉ પોસ્ટને હટાવવા જારી કર્યો નિર્દેશ

સિંગાપોર ગવર્નમેન્ટે ભારતીયો સામે નફરત ફેલાવનારી સોશિયલ મીડિયા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરી છે. અધિકારીઓએ ત્રણ મુખ્ય સોશિયલમીડિયા પ્લેટફોર્મ પરથી એ પોસ્ટને હટાવવા જણાવ્યુ છે જેમા ભારતીય સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે.

Singapore: ભારતીયો સામે નફરત ફેલાવવાની ચીનની ચાલ નાકામ, સિંગાપોર સરકારે તુરંત ભડકાઉ પોસ્ટને હટાવવા જારી કર્યો નિર્દેશ
| Updated on: Jun 08, 2026 | 4:30 PM
Share

સિંગાપોર સરકારે ભારતીય સમુદાય સામે જાતિય ટિપ્પણી સામે કડક કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શનિવારે ત્રણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવી 14 પોસ્ટ હટાવવાનો આદેશ આપ્યો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ પોસ્ટ ચીનથી આવી હતી અને તેમા જાણી જોઈને ભારતીય સમુદાય સામે જાતિય નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશના ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે યુટ્યુબ, ફેસબુક અને X ને ભારતીય સમુદાયને નિશાન બનાવનારી 14 સોશિયલ મીડિયા પોસ્ટને બ્લોક કરવાનો નિર્દેશ જારી કર્યો છે.

વિદેશથી આવ્યુ નફરત ફેલાવવાનું અભિયાન

આ પોસ્ટમાં ભારતીયો સામે ભડકાઉ વાતો કહેવામાં આવી હતી. સરકારે તેને વિદેશી કનેકશન ધરાવતી ખોટી જાણકારી ફેલાવતા અભિયાન તરીકે જોયુ. સિંગાપોર પોલીસ ફોર્સે શનિવારે ઓનલાઈન ક્રિમિનલ હાર્મ્સ એક્ટ 2023 અંતર્ગત નિર્દેશ જારી કર્યા. આ કાયદો અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની તાકાત આપે છે. જેથી તેઓ પ્લેટફોર્મ્સને અપરાધિક ગતિવિધિને પ્રોત્સાહન આપનારા કન્ટેન્ટ ને હટાવવા અથવા તેના પર રોક લગાવવા માટેની ફરજ પાડી શકે.

નિર્દેશ માં કહેવાયુ છે કે આ પ્લેટફોર્મને સિંગાપોરના યુઝર્સે આ પોસ્ટની રિચને રોકવા માટે તમામ જરૂરી પગલા લીધા. ગૃહમંત્રાલયના બીજા મંત્રી એડવિન ટોંગે શનિવારે પત્રકારોને જણાવ્યુ કે અત્યાર સુધી જે કંઈ જાણકારી મળી છે, તે મુજબ ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવનારુ કન્ટેન્ટ વિદેશથી આવ્યુ છે.

ચીનના એક પ્લેટફોર્મથી કરાઈ ભડકાઉ પોસ્ટ

ચેનલ ન્યૂઝ એશિયા એ શનિવારે તેના રિપોર્ટમાં જણાવ્યુ કે પોસ્ટમાં આપત્તિજનક કન્ટેન્ટની તપાસ માં જે જાણકારી મળી છે, તે અનુસાર આ ચીનના પ્લેટફોર્મથી કરવામાં આવી છે. બાદમાં તેને અન્ય પ્લેટફોર્મ પર અને વેબસાઈટ પર શેર કરવામાં આવી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંગાપોર પર ભારતીયોનો કબ્જો થઈ રહ્યો છે.

સિંગાપોરની 60 લાખની વસ્તીમાં 75% લોકો ચીની મૂળના છે, 15% વસ્તી મલય છે અને 7 થી 9% લોકો ભારતીય મૂળના છે. બાકી લોકો અન્ય જગ્યાએથી આવેલા છે. ટોંગ એ કહ્યુ, આ વીડિયો અમારા બહુજાતિય સમાજ પર હુમલો છે અને લોકોને જાતિગત રીતે અલગ પાડવાનો પ્રયાસ છે. જો કે અમે એવા નથી, ના તો તેનુ સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યુ સિંગાપોરમાં દરેક સમુદાયનુ મહત્વ છે અને દરેકને બરાબરનો દરજ્જો મળેલો છે.

Forbes Billionaires List: એશિયાના અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી નંબર 1 પોઝિશન પર, મુકેશ અંબાણીને પણ રાખી દીધા પાછળ

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">