યુરોપિયન યુનિયનના (EU)સાત દેશો અને સ્વિટરઝરલેન્ડ માં કોવિડશીલ્ડ(Covishield) રસીને લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી મળી છે. જેમાં ઇયુના 7 દેશો ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનીયા, ગ્રીસ, આઇસલેન્ડ, આયર્લેન્ડ અને સ્પેન સિવાય સ્વિટ્ઝર્લન્ડ દ્વારા ગ્રીન પાસપોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં કોવિડશિલ્ડ રસીના બંને ડોઝ લેનાર લોકો હવે આ દેશોમાં પ્રવાસ કરી શકશે.
બુધવારે ભારતે યુરોપિયન યુનિયન (ઇયુ) ના સભ્ય દેશોને ગ્રીન પાસપોર્ટ યોજનામાં કોવિશિલ્ડ((Covishield)અને કોવેક્સિનનો સમાવેશ કરવા જણાવ્યું હતું.ઇયુને આ બંને રસી સ્વીકારવા સરકારે કહ્યું હતું તેમજ જો તેમ નહિ કરવામાં આવે તો યુરોપિયન યુનિયનના નાગરિકોના ભારતમાં પ્રવાસ સમયે કવોરનટાઈન ફરજિયાત બનાવવામાં આવશે. યુરોપિયન યુનિયનએ તેની ‘ગ્રીન પાસ’ યોજના અંતર્ગત મુસાફરી પ્રતિબંધોને હળવા કર્યા છે.
ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા પર અલગથી વિચારણા કરવા વિનંતી
જ્યારે ભારતે જૂથના 27 સભ્ય દેશોને કોવિડશિલ્ડ અને કોવેકસીન રસી અપાયેલા ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા પર અલગથી વિચારણા કરવા વિનંતી કરી છે.ભારત યુરોપિયન સંઘ( ઇયુ) ના સભ્ય દેશોને કહ્યું છે કે તે પરસ્પર વિનિમય નીતિ અપનાવશે અને ‘ગ્રીન પાસ’ ધરાવતા યુરોપિયન નાગરિકોને તેમના દેશમાં ફરજિયાત કવોરનટાઈનમાંથી મુક્તિ આપશે. તેથી કોવિશિલ્ડ અને કોવેકસીનને માન્યતા આપવાની તેમની વિનંતી સ્વીકારવી જોઈએ.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે ઇયુને કોવિન પોર્ટલ દ્વારા અપાયેલા રસીકરણનું પ્રમાણપત્ર સ્વીકારવાની વિનંતી કરી છે. ગુરુવારથી યુરોપિયન યુનિયનમાં ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર યોજના અથવા ‘ગ્રીન પાસ’ યોજના અમલમાં આવશે. આ અંતર્ગત કોવિડ -19 રોગચાળા દરમિયાન પ્રવાસની મંજૂરી આપવામાં આવશે.
અન્ય દેશો COWIN પોર્ટલનું રસીકરણ પ્રમાણપત્ર સ્વીકારે
આ માળખા હેઠળ જે લોકોને યુરોપિયન મેડિકલ એજન્સી (EMA) દ્વારા અધિકૃત રસીઓ મળી છે. તેઓને EUની અંદર મુસાફરી પ્રતિબંધોથી મુક્તિ મળશે. અલગ અલગ સભ્ય રાજ્યોને પણ રસી સ્વીકારવાની સ્વતંત્રતા છે જે રાષ્ટ્રીય સ્તરે અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અધિકૃત કરવામાં આવી છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે અમે ઇયુના સભ્ય દેશોને વિનંતી કરી છે કે ભારતમાં કોરોના રસી કોવિશિલ્ડ અને કોવેકસિન લીધેલા લોકોને પણ સમાન છૂટ આપવા અંગે અલગથી વિચારણા કરવામાં આવે અને COWIN પોર્ટલ દ્વારા ઇસ્યુ કરાયેલા રસીકરણનું પ્રમાણપત્ર પણ સ્વીકારો.
આ પણ વાંચો : National Doctor’s Day : પીએમ મોદી, તબીબ જગતને કરશે સંબોધન, કોરોનાકાળમાં કરેલી સેવાને બિરદાવશે
Published On - 1:37 pm, Thu, 1 July 21