Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો ભાવનાત્મક સંદેશ- જો દુનિયા આ રીતે દૂર ઊભી રહેશે તો અમે હારી જઈશું

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, નિર્દોષ લોકોની હત્યા માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. પરંતુ છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા યુદ્ધની સહિયારી જવાબદારી પશ્ચિમી દેશોની છે, જે જરૂરી નિર્ણયોને મંજૂરી આપી શક્યા નથી.

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો ભાવનાત્મક સંદેશ- જો દુનિયા આ રીતે દૂર ઊભી રહેશે તો અમે હારી જઈશું
| Edited By: | Updated on: Mar 08, 2022 | 8:09 PM

યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ (Volodomyr Zelenskyy) વિશ્વને એક ભાવનાત્મક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જો દુનિયા આ રીતે દૂર ઊભી રહેશે તો અમારી હાર થશે. અમે અધિકારો માટે લડી રહ્યા છીએ. ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોને યુક્રેનિયન શહેરો અને નાગરિકોને રશિયન બોમ્બથી બચાવવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો છેલ્લા 13 દિવસમાં જરૂરી નિર્ણય લેવામાં સ્પષ્ટપણે નિષ્ફળ રહ્યા છે. આ દેશો યુક્રેનને બોમ્બથી બચાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. ઝેલેન્સકી યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર ન કરવા અને રશિયન હુમલાઓને મર્યાદિત કરવામાં નિષ્ફળ જવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, નિર્દોષ લોકોની હત્યા માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. પરંતુ છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા યુદ્ધની સહિયારી જવાબદારી પશ્ચિમી દેશોની છે, જે જરૂરી નિર્ણયોને મંજૂરી આપી શક્યા નથી. આ દેશોએ યુક્રેનને બોમ્બ અને મિસાઈલથી બચાવ્યું નથી. આ ખૂબ જ આશ્ચર્યજનક છે. ઝેલેન્સકી આ યુદ્ધમાં એક મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે, જે હજી પણ રશિયા સામે લડી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું હતું.

માનવતાવાદી કોરિડોરના વિસ્તરણની માગ

ઝેલેન્સકીએ યુદ્ધ દરમિયાન સલામત સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહેલા યુક્રેનિયન નાગરિકો માટે માનવતાવાદી કોરિડોરના વિસ્તરણ અને રેડ ક્રોસ તરફથી વધુ સહકારની હાકલ કરી છે. મંગળવારે એક અજ્ઞાત સ્થળેથી એક વિડિયો સંદેશમાં, તેમણે જણાવ્યું હતું કે દક્ષિણી દરિયાઈ બંદર શહેર મારિયુપોલમાં નાકાબંધી વચ્ચે પાણીના અભાવે એક બાળકનું મૃત્યુ થયું હતું. શહેરના લોકો કેટલા હેબતાઈ ગયા છે તેનો આ સંકેત છે. તેણે ફરી એકવાર પશ્ચિમી દેશો પાસેથી હવાઈ મદદ માગી છે.

20 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે રશિયન હુમલા બાદ યુક્રેન છોડનારા લોકોની સંખ્યા 20 લાખ સુધી પહોંચી ગઈ છે. રશિયન હુમલા બાદ યુક્રેનના કેટલાક વિસ્તારોમાં લોકો ફસાયા છે. જ્યાં તેઓ ખોરાક, પાણી અને દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં ચાલી રહેલું આ સૌથી મોટું યુદ્ધ છે. યુક્રેનના અધિકારીઓએ મંગળવારે કેટલાક વીડિયો પોસ્ટ કર્યા જેમાં લોકોથી ભરેલી બસો જોવા મળી છે. આ બસો પૂર્વીય શહેર સુમી અને અન્ય વિસ્તારોમાંથી બરફથી ઢંકાયેલા રસ્તા પર ચાલતી જોવા મળી હતી.

આ પણ વાંચો : Pakistan: ઈમરાન ખાનની ખુરશી પર ખતરો, વિપક્ષની માગ- પાકિસ્તાનના વડાપ્રધાન 24 કલાકમાં આપે રાજીનામું

આ પણ વાંચો : Russia Ukraine War Casualties: યુક્રેનનો દાવો, યુદ્ધમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, ટેન્ક અને હેલિકોપ્ટરનો બોલાવ્યો ખાત્મો

Follow Us