Russia-Ukraine War: રશિયાએ યુક્રેનની રાજધાની કિવના ઘણા રહેણાંક વિસ્તારોમાં વિસ્ફોટ કર્યા, લોકો બચવા માટે બંકર તરફ દોડ્યા

આ યુદ્ધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. યુક્રેનમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ઓછામાં ઓછા 14 બાળકોનો સમાવેશ થાય છે.

Russia-Ukraine War: રશિયાએ યુક્રેનની રાજધાની કિવના ઘણા રહેણાંક વિસ્તારોમાં વિસ્ફોટ કર્યા, લોકો બચવા માટે બંકર તરફ દોડ્યા
Russia Ukraine War
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:39 PM

યુક્રેન (Ukraine) અને રશિયા વચ્ચે સતત પાંચમા દિવસે યુદ્ધ ચાલુ છે. રશિયાએ (Russia) સોમવારે યુક્રેનની રાજધાની કિવમાં અનેક જગ્યાએ મોટા વિસ્ફોટ કર્યા હતા. વિસ્ફોટો બાદ લોકો બંકર તરફ દોડી રહ્યા છે. આ વિસ્ફોટો કિવના બ્રોવરી સોલેમાંકામાં થયા હતા. યુક્રેનના તમામ શહેરો અને સૈન્ય મથકો પર હુમલો કર્યા બાદ રશિયન સેના રાજધાની કિવને નિશાન બનાવીને તેને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. રશિયાની આક્રમકતાના વિરોધમાં દુનિયાભરના દેશો તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ રશિયાની આકરી નિંદા કરી છે. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર રશિયન મિસાઈલ હુમલામાં 12 જેટલા યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. આ હુમલામાં સેંકડો લોકો ઘાયલ થયા છે.

ખાર્કિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર રશિયન ગ્રેડ મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ફેસબુક પોસ્ટમાં, યુક્રેનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા એન્ટોન ગેરેશચેન્કોએ જણાવ્યું હતું કે ખાર્કિવ તાજેતરમાં જ મોટા ગ્રેડ રોકેટ હુમલાનો ભોગ બન્યું હતું. આ હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને સંભવતઃ સેંકડો ઘાયલ થયા હતા.

રશિયાએ પણ તેના સૈનિકોની જાનહાનિની ​​માહિતી આપી

આ યુદ્ધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. યુક્રેનમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ઓછામાં ઓછા 14 બાળકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન રશિયાએ પણ પોતાના સૈનિકોની જાનહાનિ અંગે માહિતી આપી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ગયા અઠવાડિયે શરૂ થયેલું યુદ્ધ ધીમે ધીમે તીવ્ર બની રહ્યું છે.

યુએન શરણાર્થી એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે રશિયા દ્વારા કરાયેલા આક્રમણ બાદ અડધા મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું હતું. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશન ફોર રેફ્યુજી અફેર્સ (UNHCR)ના ચીફ ફિલિપો ગ્રાન્ડીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

જીનીવા સ્થિત યુએનએચસીઆરના પ્રવક્તા શબિયા મન્ટુએ જણાવ્યું હતું કે યુક્રેનમાંથી 2,81,000 લોકો પોલેન્ડમાં અને 84,500 થી વધુ હંગેરીમાં, લગભગ 36,400 મોલ્દોવામાં, 32,500 થી વધુ રોમાનિયામાં અને લગભગ 30,000 સ્લોવાકિયામાં પ્રવેશ્યા છે. તેમણે કહ્યું કે બાકીના લોકો અન્ય દેશોમાં ગયા છે. યુક્રેનથી સેંકડો શરણાર્થીઓને લઈ જતી બીજી ટ્રેન સોમવારે વહેલી સવારે દક્ષિણપૂર્વ પોલેન્ડના પ્રઝેમિસલ શહેરમાં પહોંચી હતી.

આ પણ વાંચો : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં યુએન સેક્રેટરી જનરલે કહ્યું, રશિયા-યુક્રેન વચ્ચેનુ યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ

આ પણ વાંચો : Russia Ukraine War: લશ્કરી અનુભવ ધરાવતા કેદીઓને યુદ્ધ માટે મુક્ત કરવામાં આવશે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરી જાહેરાત

Follow Us
Loading...
Unable to load recommendations.