AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોમાનિયામાં રશિયન એમ્બેસીના ગેટ સાથે કાર અથડાઈ, ભીષણ આગમાં ડ્રાઈવરનું મોત, જુઓ વીડિયો

Russian Embassy in Romania: રોમાનિયામાં રશિયન દૂતાવાસના દરવાજા પર એક કાર જોરથી અથડાઈ છે. જે બાદ તેમાં આગ લાગી હતી અને ડ્રાઇવરનું મોત થયું હતું.

રોમાનિયામાં રશિયન એમ્બેસીના ગેટ સાથે કાર અથડાઈ, ભીષણ આગમાં ડ્રાઈવરનું મોત, જુઓ વીડિયો
Car rammed into Russian embassy door Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:13 PM
Share

રોમાનિયાની (Romania) રાજધાની બુકારેસ્ટમાં બુધવારે એક કાર રશિયન એમ્બેસીના (Russian Embassy) ગેટ સાથે અથડાઈ હતી, જેમાં આગ લાગી હતી અને ડ્રાઈવરનું મોત થયું હતું. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે કાર સવારે 6 વાગ્યે ગેટ સાથે અથડાઈ, પરંતુ તે દૂતાવાસ પરિસરમાં પ્રવેશી શકી નહીં. ઘટના સાથે જોડાયેલા એક વીડિયોમાં કારમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે અને સુરક્ષા દળોને વિસ્તારમાં દોડતા જોઈ શકાય છે.

પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબુમાં લીધી, પરંતુ ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત થઈ ગયું હતું. બનાવ અંગે વધુ માહિતી મળી શકી નથી. અહીંના રશિયન દૂતાવાસે એસોસિએટેડ પ્રેસને ફોન પર જણાવ્યું હતું કે તે આ ઘટના વિશે વધુ વિગતો આપી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, રોમાનિયા યુક્રેનની સરહદે છે અને રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ છ લાખથી વધુ લોકોએ રોમાનિયામાં આશરો લીધો છે.

કાર રશિયન દૂતાવાસના દરવાજા સાથે અથડાઈ

દસ રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા

રોમાનિયાએ મંગળવારે દસ રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. રોમાનિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દૂતાવાસના દસ કર્મચારીઓ કે જેમને અનિચ્છનીય જાહેર કરવામાં આવ્યા છે, તેમની પ્રવૃત્તિઓ “રાજદ્વારી સંબંધો પર 1961 વિયેના કન્વેન્શનની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે”. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર પહેલો હુમલો કર્યો હતો. ત્યારથી આ બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ શાંતિ મંત્રણા પછી પણ યુદ્ધમાં કોઈ કમી જોવા મળી નથી.

યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે રશિયા

રશિયાએ યુક્રેનના મોટાભાગના શહેરોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી, રાજધાવી કિવ પાસેનું બૂચા શહેર આખી દુનિયામાં ચર્ચામાં છે. યુક્રેનિયન સત્તાવાળાઓનો આરોપ છે કે રશિયન સૈનિકોએ અહીં તેમના કબજા દરમિયાન સામૂહિક નરસંહાર કરીને 300 થી વધુ લોકોને નિર્દયતાથી માર્યા છે. રશિયન સૈનિકોની પીછેહઠ બાદ જ્યારે યુક્રેનિયન સૈનિકો અહીં આવ્યા ત્યારે તેમણે રસ્તા પર દરેક જગ્યાએ લોકોના મૃતદેહ પડેલા જોયા. આ સાથે ઘણી જગ્યાએ ઉતાવળે ખોદવામાં આવેલી કબરોમાં મૃતદેહો ખુલ્લામાં પડી રહ્યા હતા. ઘણા મૃતદેહોના હાથ-પગ દોરડાથી બાંધેલા જોવા મળ્યા હતા. જે દર્શાવે છે કે હત્યા કરતા પહેલા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Srilanka Crisis: શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ક્રિકેટર અર્જુન રણતુંગાએ ભારતને ગણાવ્યું મોટો ભાઈ સમાન, કહ્યું- ઘણી મદદ મળી રહી છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">