ચીને પુલવામામાં થયેલ હુમલામાં પાકિસ્તાનને સાથ આપનારા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદને પ્રતિબંધ કરનારા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનને સામાન્ય ગણાવ્યું છે. શુક્રવારે તેમનું કહેવું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનનો ઉલ્લેખ ખાલી સામાન્ય સંદર્ભમાં છે. આ કોઈ નિર્ણયને બતાવતું નથી.
ચીન UNSCનું કાયમી સભ્ય દેશ છે. સુરક્ષા પરિષદના સભ્ય દેશો જમ્મૂ કાશ્મીરમાં થયેલ હુમલાની આલોચના કરે છે. 14 ફેબ્રુઆરીએ થયેલ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા, જેની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગને પુલવામા હુમલામાં જૈશની ભૂમિકાને ઉલ્લેખીને કરેલા નિવેદન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને મીડિયાને કહ્યું કે ચીન આતંકી ઘટનાથી જોડાયેલ ઘટનાઓ સતત નજર રાખી રહ્યું છે. ચીન સંયુકત રાષ્ટ્રની આતંકવાદી 1267 સમિતિમાં JEM પ્રમુખ મસૂદ અજહર પર એક વૈશ્વિક પ્રતિબંધ લગાવવા માટે ભારત અને અન્ય દેશોના પ્રયત્નોમાં દખલગીરી કરી રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]