યુરોપ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરશે મુલાકાત, ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત કરવા પર લગાવશે જોર

|

Apr 25, 2022 | 11:17 AM

India-France Relations: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. આ જ કારણ છે કે મેક્રોન રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતનો પક્ષ સમજે છે. જ્યાં રશિયા યુક્રેનમાં ઝડપથી પોતાના હુમલા વધારી રહ્યું છે. આ ઉપરાંત તે યુક્રેનના મોટા શહેરોને નિશાન બનાવી રહ્યું છે.

યુરોપ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરશે મુલાકાત, ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત કરવા પર લગાવશે જોર
PM Narendra Modi- Emmanuel Macron
Image Credit source: File Image

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 2થી 6 મે સુધી યુરોપના પ્રવાસે જઈ શકે છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે પણ મુલાકાત કરી શકે છે. આ સિવાય પીએમ મોદી કોપનહેગનમાં ભારત-નોર્ડિક સમિટને (India-Nordic summit) પણ સંબોધિત કરશે. મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા છે. આવી સ્થિતિમાં પીએમ મોદી દ્વિપક્ષીય રીતે તેમને મળવા અને અભિનંદન આપવા પેરિસ (PM Modi France Visit) જઈ શકે છે. ફ્રાન્સ ભારતના સૌથી નજીકના દ્વિપક્ષીય ભાગીદારોમાંનું એક છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ભારત અને ફ્રાંસ વચ્ચે ખૂબ જ નજીકના રાજકીય અને સંરક્ષણ સંબંધો છે. બંને પક્ષો મહત્વપૂર્ણ અને એડવાન્સ ટેક્નોલોજી માટે એકબીજાને મદદ કરવા તૈયાર છે. આ સિવાય ભારત-ફ્રાન્સ સંબંધો ઈન્ડો-પેસિફિક પર સમાન મંતવ્યો ધરાવે છે. ફ્રાન્સ ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર છે, તેથી બંને દેશો પીએમ મોદીના આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ પર આગળ વધે તેવી અપેક્ષા છે. આ અંતર્ગત હિંદ મહાસાગરના કાંપનું મેપિંગ, એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સબમરીન અને હાઈ થ્રસ્ટ એરક્રાફ્ટ એન્જિન ભારતમાં બનાવી શકાય છે.

યુક્રેન યુદ્ધ મુખ્ય એજન્ડામાં સામેલ

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. આ જ કારણ છે કે મેક્રોન રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતનો પક્ષ સમજે છે. જ્યાં રશિયા યુક્રેનમાં ઝડપથી પોતાના હુમલા વધારી રહ્યું છે. આ ઉપરાંત તે યુક્રેનના મોટા શહેરોને નિશાન બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદી જ્યારે યુરોપ પહોંચશે, ત્યારે તેમના એજન્ડામાં યુદ્ધ ટોચ પર હશે. નોર્ડિક દેશો અને જર્મની પણ ભારતનો પક્ષ સમજવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે જર્મની રશિયા અને ચીન બંનેનું મુખ્ય વેપારી ભાગીદાર રહ્યું છે. પરંતુ યુદ્ધની શરૂઆત થયા બાદ નવા ચાન્સેલરને રાષ્ટ્રીય સુરક્ષા વિશે બે વાર વિચારવું પડ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

નોર્ડિક દેશો સાથે સંબંધો મજબૂત કરવામાં આવશે

વડાપ્રધાન મોદી તેમની મુલાકાતમાં ડેનમાર્ક તેમજ નોર્ડિક દેશો સાથે ગાઢ દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂકશે. રોકાણ, સ્વચ્છ ટેકનોલોજી અને બિઝનેસ તેમના એજન્ડામાં ટોચ પર હશે. ભૂતકાળની જેમ નોર્ડિક દેશો પણ ભારત સાથે ગાઢ સંબંધો રાખવા માંગે છે. જો કે પીએમ મોદીની યુરોપની મુલાકાત માટે નક્કી કરેલા સમય અને તારીખ પર હજુ પણ વિચાર-મંથન ચાલી રહ્યું છે. તે જ સમયે ભારત જર્મની સાથે તેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગે છે. જર્મનીના ચીન સાથે સારા સંબંધો છે, કારણ કે તે તેને ઓટોમોબાઈલ અને અન્ય જરૂરી પાર્ટસ પૂરા પાડે છે. આ ઉપરાંત, જર્મની રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદે છે.

આ પણ વાંચો: જેહાદીઓનો આતંક : બુર્કિના ફાસોમાં આર્મી યુનિટ પર આતંકી હુમલો, 9 સૈનિકો સહિત 15 લોકોના મોત

આ પણ વાંચો:  India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,500થી વધારે નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article