AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાનમાં બાળકો રોકેટ લોન્ચર સાથે રમી રહ્યા હતા ત્યાં અચાનક વિસ્ફોટ થતાં 8 લોકોના મોત

આ અકસ્માત કંધકોટ જિલ્લામાં બન્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાં ચાર બાળકો પણ સામેલ છે, મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને કંધકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે.

Breaking News: પાકિસ્તાનમાં બાળકો રોકેટ લોન્ચર સાથે રમી રહ્યા હતા ત્યાં અચાનક વિસ્ફોટ થતાં 8 લોકોના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 6:26 PM
Share

પાકિસ્તાનના સિંધમાં એક રોકેટ લોન્ચર શેલ ફાટતાં 8 લોકોના મોત થયા છે. આ અકસ્માત કંધકોટ જિલ્લામાં બન્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાં ચાર બાળકો પણ સામેલ છે, મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને કંધકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે.

આ પણ વાંચો: નેપાળમાં ટ્રિપલ તલાકની માન્યતા રદ, કોર્ટમાં ગૂંજ્યો ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય

મળતી માહિતી મુજબ, બાળકો ઘરમાં રોકેટ લોન્ચર શેલ સાથે રમી રહ્યા હતા, તે દરમિયાન રોકેટ શેલ ફાટ્યો. આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર બાળકો, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને કંધકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસે કંધકોટ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી છે.

બાળકો રોકેટ લોન્ચર શેલ સાથે રમતા હતા

કંધકોટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રોહિલ ખોસાએ ઘટના અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે બાળકો બહાર રમી રહ્યા હતા ત્યારે તેમને જમીન પર રોકેટનો શેલ પડેલો મળ્યો. બાળકો રમવા માટે રોકેટ શેલ ઘરે લાવ્યા અને રમવા લાગ્યા. આ દરમિયાન, રોકેટ શેલ ફાટતા ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો, વિસ્ફોટમાં ઘરમાં હાજર 8 લોકોના મોત થયા. જે બાદ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ અધિક્ષકે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

સિંધના કાર્યકારી મુખ્યમંત્રીએ આઈજી પાસેથી રિપોર્ટ માંગ્યો

રોકેટ શેલ વિસ્ફોટની માહિતી મળતાં જ સિંધના કાર્યવાહક મુખ્યમંત્રી મકબૂલ બકરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. કાર્યવાહક મુખ્યમંત્રીએ મહાનિરીક્ષક ડો. રિફત મુખ્તાર પાસેથી ઘટનાનો અહેવાલ માંગ્યો છે. આ સાથે તેમણે સવાલો ઉઠાવ્યા કે ગામમાં રોકેટ કેવી રીતે પહોંચ્યું, શું કાચા વિસ્તારમાં કોઈ હથિયારોની દાણચોરી થઈ રહી છે, શું ગામમાં ડાકુઓના સમર્થકો હાજર છે?

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">