Pakistan: ઈમરાનની ખુરશી પર ખતરો, અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવાઈ

|

Mar 31, 2022 | 6:00 PM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બોલાવી હતી. NSC એ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા માટેનું સર્વોચ્ચ મંચ છે.

Pakistan: ઈમરાનની ખુરશી પર ખતરો, અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવાઈ
Imran Khan - File Photo

Follow us on

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બોલાવી હતી. NSC એ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા માટેનું સર્વોચ્ચ મંચ છે. તેમની ગઠબંધન સરકારને ટેકો આપનાર મુખ્ય સહયોગી વિપક્ષમાં સામેલ થયાના એક દિવસ પહેલા ઈમરાને આ બેઠક બોલાવી છે. આ રીતે ઈમરાન ખાન હવે સંસદમાં બહુમત ગુમાવતા જોવા મળી રહ્યા છે. વિપક્ષે ઈમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પછી તેમની ખુરશી ગુમાવવાનું જોખમ વધી ગયું છે. ઈમરાન પણ પોતાની સરકાર બચાવવા માટે સંઘર્ષ કરવા લાગ્યા છે.

સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું, NSCની બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાશે. NSCનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે અને તેમાં સર્વિસ ચીફ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને ટોચના ગુપ્તચર અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના કેબિનેટ સભ્યો સાથે એક પત્ર શેર કર્યો હતો.

આ પત્ર અંગે ઈમરાને કહ્યું હતું કે તેમની સરકારને તોડવા માટે ‘વિદેશી ષડયંત્ર’ રચવામાં આવી રહ્યું છે. ઈમરાનના બે મુખ્ય સહયોગી ‘મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન’ (MQM-P) અને બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) એ ઇમરાને બોલાવેલી બેઠકમાં ભાગ લીધો ન હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઈમરાને પત્ર વિશે શું માહિતી આપી?

ડોન અખબારના સમાચાર અનુસાર, ઈમરાને ટીવી એન્કર્સના એક સિલેક્ટેડ જૂથને પણ ફોન કર્યો અને તેમને કહ્યું કે પત્રમાં લખેલી ભાષા ધમકીભરી અને ઘમંડી છે. ઈમરાને કહ્યું કે પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ જશે તો પાકિસ્તાને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જોકે, ઈમરાને આ પત્ર જાહેરમાં મીડિયાને બતાવ્યો ન હતો. પાકિસ્તાનની સંસદનું નીચલું ગૃહ ગુરુવારે ઈમરાન વિરુદ્ધ તેમની સરકારને તોડવા માટે સંયુક્ત વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મળવાનું છે.

NSCની બેઠક ત્યારે યોજાઈ રહી છે જ્યારે વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાને જે પત્રનો ઉલ્લેખ કર્યો છે તે અન્ય કોઈએ નહીં પરંતુ પાકિસ્તાની રાજદૂત દ્વારા લખવામાં આવ્યો છે. આ પત્ર પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓ જે દેશના રાજદૂત હાજર છે તે દેશના અધિકારીઓ સાથેની બેઠક પર આધારિત છે. તેણે યુક્રેન યુદ્ધને લઈને પાકિસ્તાનની વિદેશ નીતિ પર નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે જાણો કોણ છે સૌથી લાંબો કાર્યકાળ પૂરો કરનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી

આ પણ વાંચો : સંઘર્ષ કરી રહેલા અફઘાન લોકોની મદદ માટે સંયુક્ત રાષ્ટ્ર આગળ આવ્યું, રેકોર્ડ 4.4 બિલિયન ડોલર એકત્ર કરવાનો પ્રયાસ

Next Article