પાકિસ્તાને ભલે અભિનંદનને મુક્ત કરીને પોતાની જાતને શાંતિ દૂત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ તે એલઓસી પર સતત સીઝફાયરનો ભંગ કરી રહ્યો છે અને હવે ચોંકાવનારો અહેવાલ એવો મળી રહ્યો છે કે ચોતરફથી અકળાયેલું પાકિસ્તાન ભારતીય સેના પર POISON ATTACK કરવાની ફિરાકમાં છે.
ગુપ્તચર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આતંકવાદી સંગઠનોની મદદથી ભારતીય સેના વિરુદ્ધ મોટુ કાવતરું ઘડ્યું છે કે જેનો પર્દાફાશ થઈ ગયો છે.
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સલામતી દળોને નુકસાન પહોંચાડવા માટે કાવતરું ઘડી રહ્યા છે અને તેના હેઠળ સલામતી દળોના અનાજ-પાણીના સ્ટૉકમાં ઝેર ઘોળવાનો ઘાતક પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને અંજામ આપવા માટે આઈએસઆઈ જમ્મુ-કાશ્મીરમાં મોજૂદ પોતાના એજન્ટોનો ઉપયોગ કરી શકે છે.
ગુપ્તચર રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સલામતી માટે તહેનાત તમામ દળોને ઍલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
[yop_poll id=1914]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]