પાકિસ્તાનનું લોહી પી રહ્યા છે મચ્છર, જીવ બચાવા ભારત પાસે માંગી આ ભીખ

|

Sep 23, 2022 | 2:27 PM

કંગાળ પાકિસ્તાન અવારનાવાર ભારત પાસે કોઇને કોઇ વસ્તુની ભીખ માંગતુ હોય છે, અને ભારત પણ ઘણી વખત દરીયાદિલી દાખવી મદદ કરી દે છે, આ વર્ષે ફરી એક વાર પાક, ભીખ માંગવા પર ઉતરી આવ્યુ છે, હવે એ જોવાનું રહ્યુ કે સરકાર મદદ કરશે કે કેમ.

પાકિસ્તાનનું લોહી પી રહ્યા છે મચ્છર, જીવ બચાવા ભારત પાસે માંગી આ ભીખ
PAK now in the grip of malaria after flood, sought permission to buy 71 lakh mosquito nets from India

Follow us on

પૂરના કહેરથી પીડિત પાકિસ્તાન(Pakistan)માં હજુ પણ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં વિનાશક પૂર બાદ હવે મચ્છરોનો ખતરો તોળાઈ રહ્યો છે. અહીં મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનના આરોગ્ય અધિકારીઓએ ભારત પાસેથી 71 લાખ મચ્છરદાની (Mosquito) ખરીદવાની મંજૂરી માંગી છે. ગુરુવારે આ માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં મેલેરિયા(Malaria)ના ‘પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ’ વેરિઅન્ટથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. દરરોજ આ રોગથી પીડિત સેંકડો કેસ નોંધાઈ રહ્યા છે.

NHS, R&Cના એક અધિકારીએ રિપોર્ટમાં જણાવ્યું કે, ‘નેશનલ હેલ્થ સર્વિસ (NHS), રેગ્યુલેશન એન્ડ કોઓર્ડિનેશન (R&C) એ ભારતમાંથી લગભગ 71 લાખ મચ્છરદાની ખરીદવા માટે વાણિજ્ય મંત્રાલય પાસેથી પરવાનગી માંગી છે.’ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે. , ‘ગ્લોબલ ફંડ, નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામના મુખ્ય દાતાએ ભારત પાસેથી મચ્છરદાની ખરીદવા માટે પાકિસ્તાનને તાત્કાલિક ધોરણે ભંડોળ પૂરું પાડવાની ઓફર કરી છે.’

પૂરના કારણે સમગ્ર દેશના સમીકરણો બગડી ગયા

પાકિસ્તાનના ઘણા ભાગોમાં વિનાશક પૂરના કારણે અત્યાર સુધીમાં 1,500 થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે વિવિધ પ્રકારના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પૂરના કારણે ઈન્ફ્રા અને ઈકોનોમીને ઘણું નુકસાન થયું છે. હજુ પણ પાકિસ્તાનમાં તૂટેલા મકાનોને કારણે બેઘર થયેલા ઘણા લોકો આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

હજુ પણ પાકિસ્તાન સુધરતું નથી

આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પાકિસ્તાનની કાર્યવાહીમાં કોઈ સુધારો દેખાતો નથી. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચ્યા છે. આવી સ્થિતિમાં તેમણે પૂરની સ્થિતિ પર ચર્ચા કરવાને બદલે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું વધુ યોગ્ય માન્યું. જ્યાં વૈશ્વિક નેતાઓનો મેળાવડો હોય ત્યાં તેમણે પોતાના દેશની આફતથી પ્રભાવિત લોકો વિશે વિચારવું જોઈએ. જો કે, ભારતે આ અંગે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર, જમ્મુ અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે.

Next Article