AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mexico Breaking News : મેક્સિકોમાં પ્રાર્થના દરમિયાન ચર્ચની છત પડી, 11ના મોત, 60 ઘાયલ

મેક્સિકોના ઉત્તરીય અખાતમાં સ્યૂદાદ મૈડેરોમાં પ્રાથના દરમિયાન રોમન કેથોલિક ચર્ચની છત તૂટી પડતાં અગિયાર લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમુલિપાસ રાજ્ય સુરક્ષા પ્રવક્તાના કાર્યાલયે માહિતી આપી હતી કે આ અકસ્માતમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે લગભગ 100 લોકો ચર્ચની અંદર હતા.

Mexico Breaking News : મેક્સિકોમાં પ્રાર્થના દરમિયાન ચર્ચની છત પડી, 11ના મોત, 60 ઘાયલ
Mexico Breaking News
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 6:46 AM
Share

મેક્સિકોના ઉત્તરીય અખાતમાં સ્યૂદાદ મૈડેરોમાં પ્રાથના દરમિયાન રોમન કેથોલિક ચર્ચની છત તૂટી પડતાં અગિયાર લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમુલિપાસ રાજ્ય સુરક્ષા પ્રવક્તાના કાર્યાલયે માહિતી આપી હતી કે આ અકસ્માતમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે લગભગ 100 લોકો ચર્ચની અંદર હતા.

આ અકસ્માતમાં બચી ગયેલી જોસેફિના રામિરેઝે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે મને લાગ્યું કે હું મારા પરિવારને ફરીથી જોઈ શકીશ નહીં. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે મને ખ્યાલ જ નથી કે અમે કેવી રીતે બહાર આવ્યા થયા. રામિરેઝે પાછળથી ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું કે તેની 3 વર્ષની પૌત્રી અને અન્ય સંબંધીઓ પણ બચી ગયા.

આ પણ વાંચો : Vaibhav Jewellers IPO Listing : 2.25 ગણો સબસ્ક્રાઈબ થયો હતો IPO, આજે લિસ્ટિંગ કેવું રહેશે?

સામૂહિક પ્રાર્થના દરમિયાન અકસ્માત

તામૌલિપાસ સુરક્ષા પ્રવક્તા જોર્જ કુએલરે જણાવ્યું હતું કે બચાવ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે અને અન્ય કોઈને ઈજા થવાની અપેક્ષા નથી. દુર્ઘટના સમયે સમૂહનું નેતૃત્વ કરી રહેલા પાદરી રેવ. એન્જલ વર્ગાસે કહ્યું કે કેટલાક લોકો આ દુનિયા છોડી ગયા છે અને આપણામાંથી કેટલાક બાકી છે. જેઓ ગયા છે તેઓને શાંતિ મળે.

ચર્ચની છત કેમ પડી?

ચર્ચની છત શા માટે તૂટી તે હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી. કુએલરે કહ્યું કે નિષ્ણાતો આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનું કારણ નક્કી કરવા માટે પહોંચી રહ્યા છે. જોકે, ચર્ચની જાળવણીના અભાવે આ દુર્ઘટના થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગવર્નર અમેરિકન વિલારિયલે શોક વ્યક્ત કર્યો

આપને જણાવી દઈએ કે દુર્ઘટના બાદ રેડક્રોસ ઉપરાંત રાજ્ય પોલીસ, રાજ્ય નાગરિક સંરક્ષણ કાર્યાલય અને નેશનલ ગાર્ડ સહિતની જાહેર એજન્સીઓ બચાવ કામગીરીમાં સામેલ થઈ હતી. તમુલિપાસના ગવર્નર અમેરિકનો વિલારિયલે સોશિયલ મીડિયા પર કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">