ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી બાદ પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને મુક્ત કર્યા

|

Sep 28, 2020 | 3:00 PM

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે ભારત હાઈકમીશનના બે અધિકારીઓ સવારથી ગુમ થયા હતા. પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલે એવો દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ ઝડપથી કાર દોડાવી હતી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભારતીય અધિકારીની કાર સાથે ટક્કર બાદ એક વ્યક્તિ ઘાયલ થયો. આ ઘટનાના લીધે બંને ભારતીય અધિકારીઓની […]

ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી બાદ પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને મુક્ત કર્યા

Follow us on

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે ભારત હાઈકમીશનના બે અધિકારીઓ સવારથી ગુમ થયા હતા. પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલે એવો દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ ઝડપથી કાર દોડાવી હતી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભારતીય અધિકારીની કાર સાથે ટક્કર બાદ એક વ્યક્તિ ઘાયલ થયો. આ ઘટનાના લીધે બંને ભારતીય અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 514 નવા કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 24 હજારને પાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે અટકાયતના સમાચાર બાદ ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવ્યું હતું. આ મુદે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઈ કમીશનના એક્ટિંગ હાઈ કમીશનરને સમન મોકલ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે બંને અધિકારીઓને ગાડી સાથે પરત છોડી મુકવામાં આવે. આ સિવાય પાકિસ્તાન સરકાર તેમની પૂછપરછ ના કરે અને પ્રતાડિત ના કરે તે પણ ચેતવણી ભારત સરકારે આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને ભારતના અધિકારીઓ પાકિસ્તાનમાં હોવાથી તેમની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સોમવારની મોડી સાંજે ભારતીય હાઈકમીશનના બંને અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાન પોતાની હરકતો ચાલુ રાખી છે અને ભારતીય અધિકારીઓ પર ખોટા આરોપ લગાવ્યા છે. ભારતની ચેતવણી બાદ પાકિસ્તાનમાં બંને અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા છે અને તેઓ ઈસ્લામાબાદ ખાતે ભારતીય હાઈકમીશન પહોંચ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 4:59 pm, Mon, 15 June 20

Next Article