AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈઝરાયેલ-ભારતના રાજદ્વારી સંબંધોને 30 વર્ષ પૂર્ણ, વડાપ્રધાન નફતાલી બેનેટે તેને ગણાવી ‘ગાઢ મિત્રતા’

ભારતે 17 સપ્ટેમ્બર 1950ના રોજ ઈઝરાયેલને માન્યતા આપી હતી. પરંતુ બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો 29 જાન્યુઆરી 1992ના રોજ સ્થાપિત થયા હતા.

ઈઝરાયેલ-ભારતના રાજદ્વારી સંબંધોને 30 વર્ષ પૂર્ણ, વડાપ્રધાન નફતાલી બેનેટે તેને ગણાવી 'ગાઢ મિત્રતા'
Naftali bennett (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 7:06 AM
Share

ઈઝરાયેલના (Israel) વડાપ્રધાન નફતાલી બેનેટે (Prime Minister Naftali Bennett) શનિવારે કહ્યું હતું કે ભારત-ઈઝરાયેલની ગાઢ મિત્રતા છે અને તેમણે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીની આ મજબૂત અને અતૂટ મિત્રતા પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી આ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 30 વર્ષ થઈ ગયા છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સહકારની તકોને અનંત ગણાવતા બેનેટે કહ્યું કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો મજબૂત છે અને સાથે મળીને વધુ મજબૂત બનશે.

બેનેટે શનિવારે સાંજે જાહેર કરેલા એક ખાસ વીડિયો સંદેશમાં કહ્યું કે એક વાત હું ભારતના તમામ લોકોને કહેવા માંગુ છું. ભારત અને ઈઝરાયેલ વચ્ચે ગાઢ મિત્રતા છે. આજે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 30 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 30 વર્ષની અદ્ભુત ભાગીદારી, ઊંડા સાંસ્કૃતિક, સૈન્ય અને આર્થિક સહયોગને જોડે છે.

ભારતે 17 સપ્ટેમ્બર 1950ના રોજ ઈઝરાયેલને માન્યતા આપી હતી, પરંતુ બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો 29 જાન્યુઆરી 1992ના રોજ સ્થાપિત થયા હતા. આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે હું મારા પ્રિય મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના નેતૃત્વ અને આ મજબૂત અને અતૂટ મિત્રતા માટે તેમની ઊંડી પ્રતિબદ્ધતા માટે આભાર માનું છું. બંને દેશો કદમાં ભિન્ન હોઈ શકે છે. પરંતુ અમે અમારા સમૃદ્ધ ઇતિહાસ બંને દેશોના લોકો વચ્ચેની હૂંફ અને અમારી અદ્યતન નવીનતા અને ટેક્નૉલૉજી સહિત ઘણું બધું શેર કરીએ છીએ.

ભારત અને ઈઝરાયેલના લોકો વચ્ચે હંમેશા ખાસ સંબંધ રહ્યો છેઃ પીએમ મોદી

આ વીડિયોને એક ટ્વિટ સાથે ટેગ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે આપણે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 30 વર્ષની ઉજવણી કરીએ છીએ. અમે મજબૂત ભાગીદારી, અતિ ઊંડી મિત્રતા અને ભવિષ્ય માટેની આશાની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે તેમના મિત્ર નરેન્દ્ર મોદીને હિન્દીમાં લખ્યું કે અમે સાથે મળીને વધુ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવાનું ચાલુ રાખીશું.

તે જ સમયે દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ પોતાના ખાસ વીડિયો સંદેશમાં કહ્યું કે ભારત-ઈઝરાયેલ સંબંધોને આગળ લઈ જવા માટે નવા લક્ષ્યો નક્કી કરવા માટે આનાથી વધુ સારો સમય કોઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તનો વચ્ચે સંબંધોનું મહત્વ વધી ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઈઝરાયેલના લોકો વચ્ચે હંમેશા ખાસ સંબંધ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દિવસ આપણા સંબંધોમાં મહત્વ ધરાવે છે, કારણ કે 30 વર્ષ પહેલા બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. બંને દેશો વચ્ચે એક નવો અધ્યાય શરૂ થયો છે. આ એક નવો અધ્યાય છે, પરંતુ આપણી વચ્ચેનો ઈતિહાસ સદીઓ જૂનો છે. મોદીએ કહ્યું કે સદીઓથી યહૂદી સમુદાય ભારતમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કોઈપણ ભેદભાવ વિના વિકસ્યો છે. તે અમારી વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો : Morbi: ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યાનો કેસઃ હથિયાર આપનાર રાજકોટના અઝીમ સમાનો ભાઈ મોરબીથી પકડાયો

આ પણ વાંચો : ગુજરાત સરકાર 3જી માર્ચે બજેટ રજૂ કરશે, આરોગ્ય સહિતના વિભાગો માટેની જોગવાઈઓમાં વધારો થવાની સંભાવના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">