હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની ચિંતા વધી, મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધથી કાચા તેલના ભાવમાં થશે ભડકો!

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની ખાડી બંધ થવાની ધમકીએ વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચાવી દીધી છે. ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે, ત્યારે શું આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? જાણો શું છે સરકારનો સેફ્ટી પ્લાન.

હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની ચિંતા વધી, મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધથી કાચા તેલના ભાવમાં થશે ભડકો!
Image Credit source: TV9 Network
| Updated on: Mar 01, 2026 | 4:56 PM

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો જંગે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ ‘હોર્મુઝની ખાડી’ને બંધ કરી દીધી છે, જ્યાંથી વિશ્વનો 20% ક્રૂડ સપ્લાય પસાર થાય છે. આ સ્થિતિમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની આશંકા છે.

તેલના ભાવમાં ધરખમ વધારો

શુક્રવારે કાચું તેલ બેરલ દીઠ 73 ડોલર પર બંધ થયું હતું, જે માત્ર એક મહિનામાં 6 ડોલરનો વધારો દર્શાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ લડાઈ લાંબી ખેંચાશે, તો કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ આ યુદ્ધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

ભારત પર શું થશે અસર?

ભારત તેની તેલની જરૂરિયાત માટે 85% આયાત પર નિર્ભર છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થયો નથી, પરંતુ તેલ મોંઘું થવાથી:

  • સરકારી તેલ કંપનીઓના રિફાઇનિંગ માર્જિનમાં ઘટાડો થશે.
  • દેશનું આયાત બિલ (Import Bill) વધશે.
  • રૂપિયાના મૂલ્ય પર દબાણ આવશે અને ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે.

ભારતનો ‘બેકઅપ પ્લાન’ શું છે?

ભારત ભલે ઈરાન પાસેથી સીધું તેલ નથી ખરીદતું, પરંતુ ભારતનું 40% કાચું તેલ અને 55% LNG હોર્મુઝની ખાડીના માર્ગે જ આવે છે. આ સંકટને પહોંચી વળવા ભારતીય રિફાઈનરીઓએ કમર કસી છે:

  • વૈકલ્પિક બંદરો: સાઉદી અરેબિયા અને યુએઈના અન્ય બંદરો પરથી લોડિંગ કરવાની તૈયારી.
  • વધારાના ઓર્ડર: ખાડી દેશો સિવાયના અન્ય દેશો (જેમ કે રશિયા કે આફ્રિકન દેશો) ને વધારાના ઓર્ડર આપી શકાય છે.
  • આકસ્મિક વિકલ્પો: રિફાઈનરીઓ અત્યારે સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે ઈમરજન્સી પ્લાન પર કામ કરી રહી છે.

ઈન્ડસ્ટ્રીના અધિકારીઓનું કહેવું છે કે આ વખતે જંગ લાંબી ચાલી શકે છે, તેથી ભારત તેની ‘એનર્જી સિક્યોરિટી’ માટે અત્યારથી જ સતર્ક થઈ ગયું છે.

સ્વાસ્થ્યનો ખજાનો છે ‘ખજૂર’… જાણો દિવસના કયા સમયે ખાવાથી થશે ‘બમણો ફાયદો’, વાંચવા માટે અહીં ક્લિક કરો