
ઇઝરાયેલ અને અમેરિકા સામે ચાલી રહેલા ઈરાનના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા થઈ હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાને બેન્જામિન નેતન્યાહુની હત્યા કરી દીધી છે. આમાંના મોટાભાગના દાવા ઈરાની લોકો દ્વારા જ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યા છે.
Netanyahu is Dead.
Şeytanyahu ölmüş diyorlar.Resmi açıklama gelirse helvası bizden. pic.twitter.com/IxDKXMeVf2
— Haber Gazze (@HaberGazze__) March 14, 2026
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી નેતન્યાહુ ક્યાંય દેખાયા નથી, જે આ શંકાને વધુ મજબૂત બનાવે છે. આ દાવાઓ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં સ્થિત ઈરાની દૂતાવાસનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે, જેમાં આ કથિત ઘટનાને મિનાબ હુમલામાં માર્યા ગયેલી સ્કૂલી બાળકીઓની હત્યા સાથે જોડીને પ્રતિક્રિયા આપવામાં આવી છે.
It doesn’t matter at all whether Netanyahu is dead or alive.
A single strand of hair from a Minabi girl is worth more than his entire being.— Iran Embassy SA (@IraninSA) March 14, 2026
દક્ષિણ આફ્રિકા સ્થિત ઈરાની દૂતાવાસે ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “એ બાબત બિલકુલ મહત્વની નથી કે, નેતન્યાહુ માર્યા ગયા છે કે જીવિત છે. એક મિનાબી બાળકીનો વાળ પણ તેમના સમગ્ર અસ્તિત્વ કરતા ક્યાંય વધુ કિંમતી છે.” એક લાઇનની આ પોસ્ટમાં ન તો આ દાવાઓને નકારવામાં આવ્યા છે અને ન તો તેને સાચા ગણાવ્યા છે પરંતુ ઈરાનના મિનાબ શહેરમાં ઇઝરાયેલ તેમજ અમેરિકાના હુમલામાં માર્યા ગયેલી 150 થી વધુ માસૂમ બાળકીઓના મોત અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
The Time in Tel Aviv is 10:26 AM.
For over 24 hours their has been intense speculation that Netanyahu has been killed in an Iranian strike.
His son Yair has not posted on X for days.
After a clearly AI video of him that has been debunked it is telling that the ‘israeli’… pic.twitter.com/OLhoz3kn69
— UNN (@UnityNewsNet) March 14, 2026
ઈરાનના નવા સુપ્રીમ લીડર બનેલા મુજ્તબા ખામેનેઈએ તેમના પિતા સૈયદ આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત ઘણા અધિકારીઓની શહાદતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. એક દિવસ પહેલા જાહેર કરેલા નિવેદનમાં મુજ્તબાએ મિનાબ શહેરમાં શાળા પર થયેલા હુમલામાં માર્યા ગયેલી બાળકીઓના મોતનો બદલો લેવાનું પણ વચન આપ્યું છે. ત્યારપછી જ સોશિયલ મીડિયા પર નેતન્યાહુના મોતના દાવા કરતી પોસ્ટ્સ વાયરલ થવા લાગી છે, જેમાં મોટાભાગના ઈરાની હેન્ડલ્સ છે.