ઈરાન પરમાણુ હથિયારોનો રસ્તો છોડવા થયું તૈયાર, પરંતુ અમેરિકા સમક્ષ મુકવામાં આવી આ શરત, શું અમેરિકા તેને સ્વીકારશે?

|

Jan 07, 2022 | 5:43 PM

ઈરાને (Iran) કહ્યું છે કે, જો પશ્ચિમી દેશોની ઈચ્છા અને ઈરાદો હોય તો વિશ્વ શક્તિઓ સાથે પરમાણુ કરાર (Nuclear Deal) પર વાતચીત થઈ શકે છે. ઈરાનના વિદેશ મંત્રીએ આ વાત કહી છે.

ઈરાન પરમાણુ હથિયારોનો રસ્તો છોડવા થયું તૈયાર, પરંતુ અમેરિકા સમક્ષ મુકવામાં આવી આ શરત, શું અમેરિકા તેને સ્વીકારશે?
flag of iran

Follow us on

ઈરાને (Iran) કહ્યું છે કે, જો પશ્ચિમી દેશોની ઈચ્છા અને ઈરાદો હોય તો વિશ્વ શક્તિઓ સાથે પરમાણુ કરાર (Nuclear Deal) પર વાતચીત થઈ શકે છે. ઈરાનના વિદેશ મંત્રીએ આ વાત કહી છે. અલ જઝીરાને આપેલા ઈન્ટરવ્યુમાં ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર-અબ્દોલ્લાહિયાને (Hossein Amir-Abdollahian) કહ્યું કે, જો તેમના દેશ પરના તમામ પ્રતિબંધો હટાવવામાં આવે તો સમજૂતી થઈ શકે છે. ઈરાનના ઐતિહાસિક 2015 પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરવાના હેતુથી વાટાઘાટોનો આઠમો રાઉન્ડ વિયેનામાં ચાલી રહ્યો છે, જ્યાં ઈરાન હજુ પણ યુએસ પ્રતિબંધો હટાવવામાં આવશે તેવી બાંયધરી શોધી રહ્યું છે.

પરમાણુ કરારને ‘જોઈન્ટ કોમ્પ્રીહેન્સિવ પ્લાન ઓફ એક્શન’ (JCPOA) તરીકે ઓળખવામાં આવે છે. આ વાતચીત ઈરાન અને વિશ્વ શક્તિઓ વચ્ચે થઈ રહી છે. આ વિશ્વ શક્તિઓમાં કરાર પર હસ્તાક્ષર કરનારા દેશોનો સમાવેશ થાય છે. યુએસએ 2018 માં એકપક્ષીય રીતે ડીલમાંથી પીછેહઠ કરી હતી અને હવે તે આડકતરી રીતે વાટાઘાટોમાં ભાગ લઈ રહ્યું છે.

JCPOA હેઠળ, ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધોના બદલામાં રાહત આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ યુએસએ ડીલમાંથી બહાર નીકળ્યા પછી ઈરાને કેટલાક પ્રતિબંધો પણ માફ કર્યા અને હવે યુરેનિયમને 60 ટકા સુધી સમૃદ્ધ કરવા માટે અદ્યતન સેન્ટ્રીફ્યુજનો ઉપયોગ કરી રહ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું છે ઈરાનની માંગ?

અમેરિકાએ કરારમાંથી ખસી ગયા બાદ ઈરાને ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા. તેહરાન હવે અમેરીકન પ્રતિબંધોને સંપૂર્ણ રીતે હટાવવાની માંગ કરી રહ્યું છે. અમેરિકા ફરીથી સમજૂતીમાંથી બહાર નહીં આવે તેવી બાંયધરી પણ માંગે છે. આ ઉપરાંત, તેહરાન પ્રતિબંધો અમલમાં છે તે ચકાસવા માટે વધુ સમય માંગે છે.

અમીર-અબ્દુલ્લાહિયાએ કહ્યું, પ્રતિબંધો હટાવવાનો અર્થ છે પરમાણુ કરારમાં નિર્ધારિત તમામ પ્રકારના પ્રતિબંધોને દૂર કરવા અને ટ્રમ્પ દ્વારા ફરીથી લાદવામાં આવેલા પ્રતિબંધો કરારની શરતોની વિરુદ્ધ છે. અમે ખાતરી આપવા માંગીએ છીએ કે, અમારા પર ફરીથી કોઈ નવા પ્રતિબંધો લાદવામાં નહીં આવે.

અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે થઈ સારી વાતચીત: ઈરાનના વિદેશ મંત્રી

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, આ માટેનું સૌથી “વ્યવહારિક મોડલ” એ હશે જ્યારે ઈરાનને તેલની નિકાસ કરવાની અને તેની બેંકિંગ સિસ્ટમ દ્વારા આવક મેળવવાની મંજૂરી આપવામાં આવશે. વિયેનામાં અમેરિકનો સાથે અનૌપચારિક અને પરોક્ષ સંદેશની આપ-લે થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું. અમે તેમના પ્રતિનિધિમંડળ સાથે સારી વાતચીત કરી છે. પરંતુ આપણા માટે જે મહત્વનું છે તે વ્યવહારુ અને ગંભીર અમેરિકન ક્રિયાઓ હશે. જો કે ઈરાનના વિદેશ મંત્રીના નિવેદનમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચો: UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર

આ પણ વાંચો: Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ

Next Article