ગાઝા શાંતિ મિશનમાં ભારતની એન્ટ્રી ! ટ્રમ્પે બોર્ડમાં જોડાવવા આમંત્રણ આપ્યું; બોર્ડ ઓફ પીસ શું છે તે જાણો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા કટોકટીના ઉકેલ માટે પ્રસ્તાવિત બોર્ડ ઓફ પીસમાં જોડાવવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે. ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાના હેતુથી અમેરિકાએ નવી શાંતિ યોજના ઘડી છે, તેનો આ એક ભાગ છે. આ બોર્ડની અધ્યક્ષતા ટ્રમ્પ કરશે અને તેમાં અનેક વૈશ્વિક નેતાઓનો સમાવેશ થશે.

ગાઝા શાંતિ મિશનમાં ભારતની એન્ટ્રી ! ટ્રમ્પે બોર્ડમાં જોડાવવા આમંત્રણ આપ્યું; બોર્ડ ઓફ પીસ શું છે તે જાણો
| Edited By: | Updated on: Jan 19, 2026 | 1:31 PM

Donald Trump peace plan: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા કટોકટીના ઉકેલ માટે પ્રસ્તાવિત બોર્ડ ઓફ પીસમાં જોડાવવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે. આ પહેલ અમેરિકાની વ્યાપક શાંતિ યોજનાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ સાથેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે નક્કર પગલાં લેવાનો છે. યુએસ વહીવટીતંત્ર કહે છે કે આ પ્લેટફોર્મને હાલની સંસ્થાઓ કરતાં વધુ અસરકારક અને ઝડપી નિર્ણય લેવા સક્ષમ બનાવશે. જો કે, ઘણા દેશોએ આ પ્રસ્તાવ પ્રત્યે સાવધ અભિગમ અપનાવ્યો છે. ભારત સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

બોર્ડ ઓફ પીસ શું છે?

બોર્ડ ઓફ પીસને અમેરિકા અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્મ્પ દ્વારા એક નવા આંતરરાષ્ટ્રીય શાંતિ પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે મુખ્યત્વે ગાઝા ઈઝરાયેલ સંઘર્ષ પર કામ કરશે. જો કે, બોર્ડ ઓફ પીસનો વ્યાપ પછીથી, ગાઝાને બદલે અન્ય વૈશ્વિક સંઘર્ષો સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, આ બોર્ડ શાંતિ પ્રયાસોને ઝડપી અને વાસ્તવીક બનાવવા માટે રચવામાં આવ્યું છે. યુએસ વહીવટીતંત્રનું માનવું છે કે હાલના આંતરરાષ્ટ્રીય માળખા કરતાં વધુ સારા પરિણામો આપશે.

ડોનાલ્ડ ટ્રમ્પની કેન્દ્રીય ભૂમિકા

પ્રસ્તાવિત માળખા હેઠળ, ડોનાલ્ડ ટ્રમ્પ બોર્ડ ઓફ પીસના અધ્યક્ષ રહેશે. ડ્રાફ્ટ ચાર્ટરમાં તેમના આજીવન અધ્યક્ષપદની જોગવાઈ છે. આ બોર્ડ ટ્રમ્પની 20-પોઇન્ટ શાંતિ યોજનાના બીજા તબક્કાનું નિરીક્ષણ કરશે. વ્હાઇટ હાઉસ કહે છે કે ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, આ ફોરમ શાંતિ પ્રક્રિયાને નવી દિશા આપી શકે છે. જો કે, આ વ્યવસ્થા વિશે વૈશ્વિક ચર્ચા પણ ચાલી રહી છે.

બોર્ડ ઓફ પીસના અન્ય અગ્રણીઓ

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ઘણા અગ્રણી આંતરરાષ્ટ્રીય નામોનો સમાવેશ થાય છે. આમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર અને ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઘણા વરિષ્ઠ યુએસ અધિકારીઓ અને વ્યવસાયિક નેતાઓ પણ બોર્ડનો ભાગ હશે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને ચિંતાઓ

યુરોપ સહિત ઘણા દેશોએ આ પ્રસ્તાવ પર સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. કેટલીક સરકારોને ડર છે કે, અમેરિકા રચીત બોર્ડ ઓફ પીસથી, સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા નબળી પડી શકે છે. અત્યાર સુધી, ફક્ત હંગેરીએ જ જાહેરમાં, અમેરિકાની ગાઝાને લઈને કરાયેલ આ પહેલને ટેકો આપ્યો છે. જ્યારે અન્ય દેશોએ કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડ્યું નથી. આ પ્લેટફોર્મની વૈશ્વિક સ્વીકૃતિ પર પ્રશ્નો ઉભા કરે છે.

ભારતને ઔપચારિક આમંત્રણ

ભારતને શાંતિ બોર્ડમાં જોડાવા માટે ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું છે, જેને ભારતની વધતી જતી વૈશ્વિક રાજદ્વારી ભૂમિકાના પ્રતિબિંબ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે, ભારત સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ જાહેર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતો માને છે કે, ભારતનો નિર્ણય આ પહેલની દિશા અને અસરને નોંધપાત્ર રીતે નક્કી કરી શકે છે.

ઈઝરાયેલ પેલેસ્ટાઈન સંઘર્ષનો અંત લાવવા માટે વૈશ્વિકસ્તરે અનેક દેશ દ્વારા પ્રયાસ કરાયા હતા. એક તબક્કે આ સંઘર્ષ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરના સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

Follow Us
Loading...
Unable to load recommendations.