Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Florence Nightingale: જેમણે નર્સ અને સૈનિક હોવાને આદરણીય વ્યવસાયનો દરજ્જો આપ્યો

આજથી બસો વર્ષ પહેલાં, ભારત દુકાળ અને ઘણા ચેપી રોગો સામે લડી રહ્યું હતું. બ્રિટનમાં ફ્લોરેન્સ લોકપ્રિય થયા પછી, ભારત તરફથી તેમને એક સ્વાસ્થ્ય રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો

Florence Nightingale: જેમણે નર્સ અને સૈનિક હોવાને આદરણીય વ્યવસાયનો દરજ્જો આપ્યો
International Nurses Day 2021
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 12, 2021 | 12:46 PM

આજના યુગમાં, જ્યારે ડોકટરો અને નર્સો આપણા માટે ભગવાન તરીકે ઉભર્યા છે, ત્યારે તેઓ આ રોગચાળાના સમયમાં પોતાનું જીવન દાવ પર લગાવીને આપણી સેવામાં રોકાયેલા છે.

આજે, નર્સો વિશ્વભરના દર્દીઓની સંભાળમાં રોકાયેલા છે. તેમની અંદર આ અલખને જગાડનાર મહિલાનો આજે જન્મદિવસ છે.

ફ્લોરેન્સ નાઈટિંગલ જેણે સમગ્ર વિશ્વને શીખવ્યું કે તમે કેવી રીતે સંપૂર્ણ નિસ્વાર્થતાથી દર્દીની સેવા કરી શકો. તે ફ્લોરેન્સ નાઈટિંગલ હતી, જેમણે તેમની સેવા ભાવના અને દયાથી નર્સના વ્યવસાયને ખૂબ આદરણીય વ્યવસાય તરીકે સ્થાપિત કર્યો.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ દુલ્હનની જેમ સજી, જુઓ તસવીર
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિનની ફેશન સેન્સ જોરદાર છે, જુઓ ફોટા
ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ

ફ્લોરેન્સ નાઈટિંગલનો જન્મ 12 મે, 1820 ના રોજ બ્રિટનમાં થયો હતો. તેમનો જન્મદિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે નર્સ બનવું એેક આદરણીય વ્યવસાય ન હતો

ફ્લોરેન્સનો જન્મ એવા સમયે થયો હતો જ્યારે નર્સો અને સૈનિકો આ સમાજમાં આદર મેળવી શક્યા ન હતા, જે સમ્માનની દ્રષ્ટિ એ આજે તોઓને જોઇ રહ્યા છે.

એક ઉચ્ચ મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા, ફ્લોરેન્સનું બાળપણ બ્રિટનના પાર્થેનોપ વિસ્તારમાં ગાળ્યું છે. તેમના પિતા વિલિયમ એડવર્ડ નાઈટિંગલ એક સમૃદ્ધ જમીનદાર હતા. ફ્લોરેન્સ તેમના અભ્યાસ ઘરે થયાં હતો.

ફ્લોરેન્સનો જન્મ એવા સમયે થયો હતો જ્યારે છોકરીઓની જિંદગીનો અર્થ એવો હતો કે તેઓ મોટા થાય ત્યારે સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે અને તેમના પરિવાર અને સામાજિક સંબંધોમાં સામેલ થઈને જ પોતાનું જીવન પસાર કરે. પરંતુ ફ્લોરેન્સને આ મંજૂર ન હતું, તેમણે તેમના પરિવારની સામે નર્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી.

એવું કહેવામાં આવે છે કે તે સમય દરમિયાન જ્યારે ફ્લોરેન્સ તેમના પરિવાર સાથે યુરોપ ગયા હતા, તે દરમિયાન તેણીએ દરેક શહેરની હોસ્પિટલો અને લોકોની સેવા માટે બાંધેલી સંસ્થાઓ વિશેની માહિતી એકઠી કરી હતી. આ તમામ આંકડાઓ તેમણે પોતાની ડાયરીમાં લખ્યા હતા.

પ્રવાસના અંતે, તેમણે તેમના પરિવારને કહ્યું કે ‘ઈશ્વરે તેમને માનવતાની સેવા કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ તે કહ્યું ન હતું કે સેવા કેવી રીતે કરવાની છે.’ આ પછી ફ્લોરેન્સે નર્સ બનવાની ઇચ્છા વ્યક્ત કરી.

તેમના પિતાએ ફ્લોરેન્સનો સખત વિરોધ કર્યો, પરંતુ છેવટે તેમની પુત્રીની વાત સ્વીકારી લીધી અને ફ્લોરેન્સને જર્મનીની પ્રોટેસ્ટંટ ડેકોનેસિસ સંસ્થામાં ફ્લોરેન્સે નર્સિંગની તાલીમ લીધી હતી.

તેઓ દર્દીઓની સંભાળ રાખવાની પદ્ધતિઓ અને હોસ્પિટલોને સ્વચ્છ રાખવાના મહત્વ વિશે શીખ્યા. વર્ષ 1853 માં, તેમણે લંડનની મહિલાઓ માટેની એક હોસ્પિટલ, ‘ઇન્સ્ટીટયુટ ફોર દ કેયર ઓફ સિંક જેન્ટલવુમન’ શરૂ કર્યું, જ્યાં તેમણે દર્દીઓની સંભાળ માટે ઘણી ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરી અને નર્સોની કાર્યકારી પરિસ્થિતિમાં પણ સુધારો કર્યો.

ફ્લોરેન્સ રાત-દિવસ સૈનિકોની સેવા કરી

વર્ષ 1854 માં ક્રિમિયાનું યુદ્ધ ચાલી રહ્યું હતું. આ યુદ્ધમાં બ્રિટન, તુર્કી અને ફ્રાન્સ એક તરફ હતા અને બીજી બાજુ રશિયા હતું. ક્રિમિયા ખૂબ જ ઠંડો વિસ્તાર છે, સૈનિકો માટે અહીં રોકાવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું.

રશિયાના હુમલા પછી બ્રિટને તેમના હજારો સૈનિકોને ક્રિમીયામાં મોરચો લેવા કહ્યું, પરંતુ ત્યાં પ્રતિકૂળ વાતાવરણ ન હોવાના કારણે સૈનિકોનું જીવન મુશ્કેલ થઈ ગયું હતું.

તે સમયગાળો હતો જ્યારે સૈનિકોનાં જીવનની કોઈ કિંમત ન હતી અને તેમને મરવા માટે છોડી દેવામાં આવતા. યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને મરવા માટે છોડી દેવામાં આવતા.

ક્રિમિયા યુદ્ધમાં દરરોજ હજારો સૈનિકો ઘાયલ થતા હતા, પરંતુ સારવાર અને સંભાળના અભાવને કારણે તેમનું મોત નીપજતું હતું.

બ્રિટિશ સરકાર દ્વારા ફ્લોરેન્સની આગેવાની હેઠળ ઓક્ટોબર 1854 માં 38 નર્સોની ટીમ ઘાયલ સૈનિકોની સેવા માટે તુર્કી મોક્લવામાં આવી હતી.

ફ્લોરેન્સ ત્યાં પહોંચી અને જોયું કે ત્યાંની હોસ્પિટલો ઘાયલ સૈનિકોથી કેવી રીતે ભરેલી છે, જ્યાં ગંદકી, ગંધ, દવાઓ અને સાધનોની અછત, પીવાના પાણીના દૂષિત પાણી વગેરેની અસુવિધાને કારણે ચેપને કારણે મોટી સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા.

ફ્લોરેન્સે હોસ્પિટલની સ્થિતિમાં સુધારો કરવા ઉપરાંત, દિવસ-રાત ઘાયલ અને માંદા સૈનિકોની સંભાળને એકીકૃત કરી, જેનાથી સૈનિકોની સ્થિતિમાં ઘણો સુધારો થયો. તેમની સખત મહેનત રંગ લાવી અને થોડા જ દિવસોમાં યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સંખ્યા ઓછી થઈ.

આ સમય દરમિયાન, ફ્લોરેન્સ રાત-દિવસ ઘાયલ સૈનિકોની સંભાળ લેવા ગઈ અને તેણીના હાથમાં દીવો હતો. ત્યારબાદથી તે ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે જાણીતી થઈ.

ભારતમાં પણ મહત્વનું યોગદાન

આજથી બસો વર્ષ પહેલાં, ભારત દુકાળ અને ઘણા ચેપી રોગો સામે લડી રહ્યું હતું. બ્રિટનમાં ફ્લોરેન્સ લોકપ્રિય થયા પછી, ભારત તરફથી તેમને એક સ્વાસ્થ્ય રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, જેમાં ભારતમાં આરોગ્યની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.

ભારતમાં ચેપી રોગોને લીધે લાખો લોકોના મોતને ધ્યાનમાં રાખીને, ફ્લોરેન્સ એ નિષ્કર્ષ પર આવ્યા કે લોકો ભારતમાં બીમાર રહેવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે લોકો પીવા માટે ગંદા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.

તેમની ભલામણ પછી જ ભારતમાં પીવાના શુધ્ધ પાણીના ઉપયોગ અંગે જાગૃતિ વધી. ફ્લોરેન્સને વર્ષ 1906 સુધી બહરતમાં આરોગ્યની સ્થિતિના અહેવાલો મોકલવામાં આવતા હતા. વર્ષ 1910 માં 90 વર્ષની વયે ફ્લોરેન્સ નાઈટિંગલનું અવસાન થયું.

g clip-path="url(#clip0_868_265)">