સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના આરોપોનો કડક જવાબ આપ્યો છે. સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે. તેમને કહ્યું કે ઈમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વિદિશા મૈત્રાએ પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું કે શું પાકિસ્તાન આ વાતનો સ્વીકાર કરશે કે તે દુનિયાનો એક માત્ર દેશ છે, જે એવા વ્યક્તિને પેન્શન આપે છે, જેને સંયૂક્ત રાષ્ટ્રએ અલ કાયદા અને ISIS જેવા આતંકીઓની લિસ્ટમાં રાખ્યા છે.
વિદિશા મૈત્રાએ કહ્યુ કે માનવાધિકારની વાત કરનારા પાકિસ્તાનને સૌથી પહેલા પાકિસ્તાનમાં અલ્પસંખ્યોની હાલત જોવી પડશે, જેમની સંખ્યા 23 ટકાથી 3 ટકા પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનને ઈતિહાસ ના ભૂલવો જોઈ અને યાદ રાખવુ જોઈએ કે 1971માં તેમને પોતાના લોકોની સાથે શું કર્યુ હતુ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો