AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, 26 ઓક્ટોબરે મહત્વની બેઠક કરશે WHO

રસી અંગે ડબ્લ્યુએચઓને રોલિંગ આધારે ડેટા સબમિટ કરવામાં આવી રહ્યો છે અને ડબ્લ્યુએચઓની વિનંતી પર 27 સપ્ટેમ્બરે વધારાની માહિતી પણ આપવામાં આવી છે

Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, 26 ઓક્ટોબરે મહત્વની બેઠક કરશે WHO
Covaxin
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 6:56 AM
Share

WHO Meeting on Covaxin: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથ (Soumya Swaminathan) ને રવિવારે કહ્યું કે સંસ્થાનું ટેકનિકલ સલાહકાર જૂથ 26 ઓક્ટોબરે એક મહત્વની બેઠક કરશે. જેમાં રસી માટે EUL (ઈમરજન્સી યુઝ લિસ્ટ) ધ્યાનમાં લેવામાં આવશે. ટ્વિટર પર સ્વામીનાથને કહ્યું કે ભારત ડબ્લ્યુએચઓ ડોઝિયર પૂર્ણ કરવા માટે બાયોટેક સાથે નજીકથી કામ કરી રહ્યું છે.

તેમણે ટ્વિટ કર્યું, ‘કોવાસીન માટે EUL અંગે 26 ઓક્ટોબરના રોજ ટેકનિકલ સલાહકાર જૂથની બેઠક મળશે. WHO ડોઝિયર(WHO Covaxin Approval News) ને પૂર્ણ કરવા માટે ભારત બાયોટેક સાથે નજીકથી કામ કરી રહ્યું છે. આપણો ધ્યેય કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરાયેલી રસીઓનો વ્યાપક પોર્ટફોલિયો બનાવવાનો અને દરેક જગ્યાએ લોકો સુધી તેની પહોંચ વધારવાનો છે.

વધારાની માહિતી સબમિટ કરી રસી અંગે ડબ્લ્યુએચઓને રોલિંગ આધારે ડેટા સબમિટ કરવામાં આવી રહ્યો છે અને ડબ્લ્યુએચઓની વિનંતી પર 27 સપ્ટેમ્બરે વધારાની માહિતી પણ આપવામાં આવી છે. મહિનાની શરૂઆતમાં, WHO એ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘કોવેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે રોલિંગ આધારે WHO ને ડેટા સબમિટ કર્યો છે અને 27 સપ્ટેમ્બરે WHO ની વિનંતી પર વધારાની માહિતી પણ આપી છે(WHO Covaxin Approval Status). WHO નિષ્ણાતો હાલમાં આ માહિતીની સમીક્ષા કરી રહ્યા છે અને જો તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવે તો આગામી સપ્તાહે આકારણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ICMR-NIV સાથે ઘડવામાં આવે છે કોવાસીન ભારતની પ્રથમ રસી છે, જે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને NIV (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી) ના સહયોગથી વિકસાવવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યાર સુધીમાં છ રસીઓને મંજૂરી આપી છે. તેમાં ફાઇઝર બાયોએન્ટેક, જોહ્ન્સન એન્ડ જોન્સન (J&J), ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના, સિનોફાર્મ અને સિનોવાકથી કોવિડ રસીઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં, કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.

આ પણ વાંચો: Health Tips: પલાળેલી અને છાલવાળી બદામ સ્વાસ્થ્ય માટે કેમ વધુ સારી? જાણો 4 આશ્ચર્યજનક ફાયદા

આ પણ વાંચો: WI-FI on Moon : હવે ચંદ્ર ઉપર પણ માણી શકશો વાઇફાઇનો આનંદ, નેટવર્ક સ્થાપિતની તૈયારી કરી રહ્યું છે નાસા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">