પાકિસ્તાન (Pakistan)માં આર્થિક સંકટ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) સંઘીય સરકારના સભ્યોને સૂચના આપી છે કે તેમની મંજૂરી વિના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણય ઈમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઈ સરકારે લીધો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ પોતે વિદેશ પ્રવાસ કરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં સરકારના તમામ સભ્યો દ્વારા પણ આવું જ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ નેશનલ એસેમ્બલીના સભ્યો રિયાજ ફતયાનાએ તાજેતરમાં જ ગ્લાસગોની મુસાફરી કરી હતી.
ફતયાના COP 26 ગ્લોબલ ક્લાયમેટ સમિટ (COP26 global climate summit) માં ભાગ લેવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સહિત આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જેને લઈ મતભેદ હતા. વડાપ્રધાને કહ્યું કે જ્યારે તે વિદેશ યાત્રાઓ નથી કરી રહ્યા તો તેમના મંત્રીમંડળના મંત્રીઓને પણ આવી યાત્રાઓથી બચવું જોઈએ. તે સિવાય સૂચના મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhry)એ આ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે MNA અને સેનેટરો ખુદ વડાપ્રધાન કરતાં જાહેર ભંડોળ પર વધુ પ્રવાસ કરે છે.
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું સરકારી બાબતો પર આપણું સર્વોચ્ચ ધ્યાન હોવું જોઈએ. આ દરમિયાન, કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)થી ચિંતિત પાકિસ્તાન સરકારે આ જોખમનો સામનો કરવા માટે એક નવી રસીકરણ યોજનાની સ્થાપના કરી છે. એક અહેવાલ મુજબ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, આરોગ્ય કર્મચારીઓ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પાકિસ્તાનમાં હાલમાં કોરોનાની ઝડપ ઓછી થઈ છે પણ ઓમીક્રોન વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે.
અગાઉ, ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન સરકારને મોટી શરમનો સામનો કરવો પડ્યો હતો. દેશના ઓડિટર જનરલ જહાંગીરે દેશના કોવિડ-19 ખર્ચમાં મોટી ગેરરીતિઓ શોધી કાઢી છે. આ અહેવાલ પાકિસ્તાન સરકારના વિવિધ વિભાગો અને સંગઠનોના ઓડિટ પર આધારિત હતો, જેણે રોગચાળા દરમિયાન રાહત પ્રવૃત્તિઓ, સબસિડીવાળી ખાદ્ય ચીજોની જોગવાઈ અને આર્થિક ઉત્તેજના પેકેજોના અમલીકરણ પર ખર્ચ કર્યો હતો. તેને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને સોંપવામાં આવ્યો છે, ત્યારબાદ તેને દેશની સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Afghanistan: તાલિબાને 100થી વધુ ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓની કરી હત્યા, બળજબરીથી કર્યા ગાયબ