AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake in Pakistan: ધરતીકંપના આચંકાથી ધ્રુજી ઉઠયું પાકિસ્તાન, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5.6ની તીવ્રતા

આ પહેલા 1 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.પાકિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Earthquake in Pakistan:  ધરતીકંપના આચંકાથી ધ્રુજી ઉઠયું પાકિસ્તાન, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5.6ની તીવ્રતા
earthquake ( Symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:00 AM
Share

શુક્રવારે રાત્રે પાકિસ્તાનના (Pakistan) ઉત્તરીય ભાગમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં 100 કિલોમીટરની ઊંડાઈએ હતું. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખૈબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા 1 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.પાકિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા પ્રાંતની રાજધાની પેશાવરમાં પણ અનુભવાયા હતા, જેના કારણે અહીં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદે લગભગ 6.15 વાગ્યે આવ્યો હતો, જેમાં સ્વાત, પેશાવર, લોઅર ડીર, સ્વાબી, નૌશેરા, ચિત્રાલ, મર્દાન, બાજૌર, મલાકંદ, પબ્બી, અકોરા, ઈસ્લામાબાદ રાજધાની અને તેના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે જ સમયે, 8 ડિસેમ્બરે, કરાચીના ભાગોમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

અમેરિકાના અલાસ્કામાં મંગળવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

આ પહેલા મંગળવારે અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના ઘણા આંચકા અહીંના અલેયુટિયન ટાપુઓમાં અનુભવાયા હતા. આમાં સૌથી મજબૂત ભૂકંપ 6.8ની તીવ્રતાનો હતો. આમાંના ઘણા ધરતીકંપોનું કેન્દ્ર ઉત્તર પેસિફિકમાં સમુદ્રની નીચે હતું, અલાસ્કાના ઓછા વસ્તીવાળા પ્રદેશમાં આંચકા અનુભવાયા હતા.

અલાસ્કાના ધરતીકંપ કેન્દ્રના સિસ્મોલોજીસ્ટ નતાલિયા રુપર્ટે જણાવ્યું હતું કે આટલા જોરદાર ભૂકંપો સતત આવતા રહે તે તદ્દન અસામાન્ય છે. મોડી રાત્રે લગભગ 2.36 કલાકે સૌથી ભયાનક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 6.8 હતી અને થોડીવાર બાદ ભૂકંપના આફ્ટરશોક પણ અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નિકોલ્સ્કીના દક્ષિણપૂર્વમાં લગભગ 40 માઈલ (64 કિમી) હતું. નિકોલ્સ્કી એ અલાસ્કાના ઉન્માક આઇલેન્ડ પર 39 રહેવાસીઓનો સમુદાય છે.

શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે 9:43 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતોમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ 81 કિમી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 177 કિમી દક્ષિણપૂર્વમાં હતું. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના કારણે જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચો : Bulli Bai App Case: 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપી શ્વેતા સિંહ અને મયંકને મોકલાયા, મુંબઈ પોલીસની કસ્ટડી પૂર્ણ

આ પણ વાંચો : Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">