AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમ લખેલો ભગવા રંગનો ધ્વજ, ભારતની ભવ્ય સંસ્કૃતિની ઝલક, ટ્રુડોના કેનેડામાં ભારતીયોની દિવાળી

શાસક લિબરલ પાર્ટીના સાંસદ ચંદ્ર આર્ય દ્વારા આયોજિત દિવાળીની ઉજવણીમાં પાર્લામેન્ટ હિલ પર પવિત્ર પ્રતીક 'ઓમ' સાથે હિન્દુ ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. આ વર્ષે કેનેડામાં બીજો હિંદુ હેરિટેજ મહિનો ઉજવવામાં આવી રહ્યો છે. આ પાર્ટીના આયોજનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

ઓમ લખેલો ભગવા રંગનો ધ્વજ, ભારતની ભવ્ય સંસ્કૃતિની ઝલક, ટ્રુડોના કેનેડામાં ભારતીયોની દિવાળી
CanadaImage Credit source: Social Media
| Updated on: Nov 08, 2023 | 6:20 PM
Share

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી. કાર્યક્રમમાં ભગવા રંગના ધ્વજની સાથે ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિંદુ ધર્મ કેનેડામાં ત્રીજો સૌથી મોટો ધર્મ છે, જે દેશની કુલ વસ્તીના લગભગ 2.3 ટકા છે.

આ દિવાળી પાર્ટીનું આયોજન ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્રશેખર આર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તે તેના હોસ્ટ હતા. આ કાર્યક્રમ કેનેડાની સંસદ પાર્લામેન્ટ હિલ ખાતે યોજાયો હતો. કેનેડામાં રહેતા ભારતીયોએ દિવાળી પાર્ટીમાં ભાગ લીધો હતો. પાર્ટીમાં ઓટાવા, મોન્ટ્રીયલ અને ટોરોન્ટો સહિત ઘણા શહેરોમાંથી ભારતીય સમુદાયના લોકોએ હાજરી આપી હતી. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે ભગવો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો, જેના પર ‘ઓમ’ લખેલું હતું.

આ પાર્ટીના આયોજનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા સાંસદ ચંદ્રશેખરે કહ્યું, “હું આ દિવાળી પાર્ટીનું આયોજન કરીને ખુશ છું. આ દરમિયાન અમે ભગવો ધ્વજ પણ ફરકાવ્યો જેના પર ઓમ લખેલું હતું. સૌથી આનંદની વાત એ છે કે કેનેડામાં આ મહિનાને હિન્દુ હેરિટેજ મહિનો જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સ્વયંસેવકો અને કલાકારોનો દિલથી આભાર.”

આ કાર્યક્રમમાં 67 હિન્દુ અને ભારતીય કેનેડિયન નાગરિકોએ મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ ચંદ્રશેખરનો જન્મ ભારતમાં થયો હતો અને બાદમાં તેઓ કેનેડા શિફ્ટ થયા હતા.

આ વર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારતની ગુપ્તચર એજન્સી રોનો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારત અને કેનેડા સરકાર વચ્ચે વિવાદ થયો. આ મામલો વધી ગયા બાદ ભારત સરકારે તાજેતરમાં કેનેડાના 40 રાજદ્વારીઓને બહાર કાઢ્યા હતા. આવી પરિસ્થિતિમાં આવા સમાચાર સુખદ છે.

આ પણ વાંચો: આયોવામાં ખેડૂતોએ સોયાબીનના પાકની લણણી શરૂ કરી, કૃષિ વિભાગ દ્વારા ખેતી કાર્યો કરવા માટે આપવામાં આવી સલાહ

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">