VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત
ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાઈરસને પગલે રવિવારે વધુ 97 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ચીનમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 908ને પાર પહોંચ્યો છે. ત્યારે કોરોના વાઈરસની ઝપેટમાં અત્યાર સુધીમાં કુલ 40 હજાર લોકો આવી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે કોરોના વાઈરસનો હાઉ એટલો છે કે ચીન સરકારે વધુ 9 શહેરોને લોકડાઉન કરવાની […]
ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાઈરસને પગલે રવિવારે વધુ 97 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ચીનમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 908ને પાર પહોંચ્યો છે. ત્યારે કોરોના વાઈરસની ઝપેટમાં અત્યાર સુધીમાં કુલ 40 હજાર લોકો આવી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે કોરોના વાઈરસનો હાઉ એટલો છે કે ચીન સરકારે વધુ 9 શહેરોને લોકડાઉન કરવાની ફરજ પડી છે અને એક પછી એક ઈન્ફેકશન લાગેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સાથે જ ચીન સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં વધારો થયો છે. હાલ વિશ્વના વિવિધ દેશોમાં કોરોના વાઈરસથી અસર થયેલા 200 કેસ નોંધાયા છે. જો કે ભારતીયો માટે પણ આ વાઈરસ મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
રિપોર્ટ મુજબ ભારતનો એવા 20 દેશોની યાદીમાં સમાવેશ થયો છે, જ્યાં હવાઈ મુસાફરો દ્વારા વાઈરસ પહોંચવાનો ખતરો છે. જર્મનીની હમબોલ્ડ યુનિર્વસિટી અને રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યુટે રિપોર્ટમાં 4 હજાર એરપોર્ટની 25 હજાર ફ્લાઈટનું વિશ્લેષણ કર્યું છે. જેમાં 7 એરપોર્ટ દ્વારા ભારતમાં આ વાઈરસ પ્રવેશવાનો ખતરો તોળાયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા નટવરસિંહે કેમ કહ્યું, ‘મને ખુશી છે કે ભારતનું વિભાજન થયું’